________________
શ્રી વીશસ્થાનક તપ
અથાક પરિશ્રમ અને અંગત રસ લીધો છે તે મુનિભગવંતનું જીવન કવન લખવું. અસ્થાને નહીં ગણાય. તપરવી મહાત્મા પ.પૂ. ગણિવર્ય શ્રી કૈલાસચંદ્ર વિ.મ.સા.ની જીવનગાથા
સંસારી ઓળખ - કીર્તિકુમાર, પિતા - સ્વ. વ્રજલાલભાઈ, માતુશ્રી - સ્વ. ભૂરિબેન, જન્મસ્થાન - દેવા, તાલુકો-પેટલાદ, જીલ્લો-ખેડા (આણંદ), જન્મદિન - સંવત ૨૦૦૭, ભાદરવા વદ-૯, સંયમની પ્રેરણા - બેન મહારાજ સાધ્વી શ્રી રાજહંસાશ્રીજી, સંયમપંથે પ્રયાણ - સંવત ૨૦૨૯ મહા વદ-૭, કૃષ્ણનગર, નરોડરોડ, અમદાવાદ, સંયમદાતા - ધર્મરાજા પ.પૂ.આ.શ્રી. વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ.સા., ગુરુદેવ - પ.પૂ.આ.શ્રી વિંજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા, અભ્યાસ – પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ; ત્રણે ભાષ્ય, ૬ કર્મગ્રંથ (અર્થસહિત), સંસ્કૃત બુક ૧-૨, લઘુ સિદ્ધાન્ત કૌમુદી, તત્ત્વાર્થ, જ્ઞાનસાર, પ્રશમરતિ, ગુણસ્થાનક ક્રમારોહ આદિ અર્થ સહિત, વાંચન - દશવૈકાલિક, ઉત્તરાધ્યયનસૂત્ર, આત્મપ્રબોધ ગ્રંથ આદિ. પુસ્તકોના અનુવાદ તથા પ્રકાશન - પૂ. શિવશર્મસૂરિ વિરચિત “કર્મપ્રકૃતિની મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.ની સંસ્કૃત ટીકાનો ભાવાનુવાદ “કર્મપ્રકૃતિ” ભાગ ૧-૨૩. જેનું સંશોધન પ.પૂ.આ.શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ.આ.શ્રી વિજય વીરશેખરસૂરીશ્વરજી મ.સા. દ્વારા કરેલ છે. * ,
વિશસ્થાનક તપ આરાધના વિધિ - ૧000 નકલ, વિશસ્થાનક તપ આરાધના વિધિ (કથાઓ સહિત) ૫૦૦૦ નકલ, તથા તેની જ દ્વિતીય આવૃત્તિ ૫OOO નકલ.
તપના તેજ - તપસ્વી ગણિવર્ય મ. સાહેબે ૮-૯-૧૬-૨૦-૩૦-૪૫ ઉપવાસ, ૨૪ જિનના તથા વીશ વીહરમાનના કલ્યાણકો-ઉપવાસથી, ૧ વર્ષીતપ (પારણે બિયાસણું.) ૨ વર્ષીતપ (પારણે એકાસણું), સિદ્ધિતપ, સહસકૂટના ૧૦૨૪ એકાસણા, ચોવીસ જિનના ચઢતાં ઉતરતાં ક્રમે ૬૦૦ એકાસણા, નવપદની ૯ ઓળી, વર્ધમાન તપની ૩૨ ઓળી, જ્ઞાન પંચમી, મૌન એકાદશી, પોષ દશમી, નવપદની ઓળી અલૂણી એક ધાનની ચાલુ કરેલ છે. તથા ૪૫ આગમના જોગ આદિ ઘણી તપશ્ચર્યા કરી જીવન ધન્ય બનાવ્યું છે. વિશસ્થાનક તપ પ્રથમ વખત ઉપવાસથી કર્યું હતું અને ત્યારબાદ બીજી વખત