SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નઃ- બીજ આદિ (૨, ૫, ૮, ૧૧, ૧૪) પાંચ પર્વીઓ શ્રાદ્ધવિધિ આદિ આપણા ગ્રંથ સિવાય બીજા ગ્રન્થોમાં ક્યાં કહેલ છે? ઉત્તર - સંવિગ્ન ગીતાર્થોની આચરણા વડે બીજ વગેરે પાંચ પર્વનું ઉપાદેયપણું સંભવે છે. તેના અક્ષરો તો “શ્રાદ્ધવિધિ સિવાય અન્યત્ર જોયાનું યાદ નથી. ૧-૧૫ ટિપ્પણ-૯. ''વીમા પંચની મમિ રસિ ૩૬ કુળ તિમો | एआओ सुअ(ह)तिहीओ गोअम गणहारिणा भणिआ'' || | (શ્રી શ્રાદ્ધવિધિ, મુદ્રિત પત્ર ૧૫ર) ભાવાર્થ:- શ્રી ગૌતમ ગણધરે બીજ, પાંચમ, આઠમ, એકાદશી અને ચતુર્દશી એ પાંચ શુભ તિથિઓ કહેલી છે. ___ तथा-''मासम्मि पव्वछक्कं तिण्णि अ पन्वाइं पक्खम्मि'' इति गाथोक्तैव चतुष्पर्वी सर्वश्राद्धानाम् , किंवा लेपश्राद्धाधिकारवर्णिता? इति प्रश्नोऽत्रोत्तरम्'मासम्मि'' इतिगाथोक्तैव चतुष्पर्वी सर्वश्राद्धानां संभाव्यते, न तु નેપશ્રદ્ધાધિમરોત્તેતિ II૧-૧દ્દા. પ્રશન - સર્વ શ્રાવકોની ચતુષ્કર્વી મસખિ પÖછવ તિUg[ 1 પલ્વાડું વિ’િ આ ગાથામાં કહેલી છે, તે ગણવી કે લેપ શ્રાવકના અધિકારમાં જે (આઠમ-ચૌદશ-ચોમાસાની ત્રણ પુનમ અને મહાકલ્યાણક તરીકે આવતી અમાસ) વર્ણવેલી છે તે ગણવી? ઉત્તર:- ''માસનિ’’ આ ગાથામાં કહેલીજ ચતુષ્પર્વ સર્વ શ્રાવકોને હોય એમ લાગે છે, પરંતુ લેપશ્રાવકના અધિકારમાં કહેલી છે તે નહિ. ૧-૧૬ ટિપ્પણ-10. મમિ વસતિ પુમિ ૨ તદીમાવા દવ પર્વ | मासंमि पव्व छक्कं तिन्नि अ पव्वाइं पक्खंमि'' || . (શ્રી શ્રાદ્ધવિધિ, પત્ર ૧૬૨) ભાવાર્થ:- ‘શ્રી શ્રાદ્ધવિધિ આદિ શાસ્ત્રોમાં દરેક માસની સુદ અને વદની બન્ને આઠમો, બન્ને ચૌદશ, પૂર્ણિમા, તેમજ અમાવાસ્યા એમ છ પર્વો આખા મહિનામાં અને ત્રણ પર્વો એક પખવાડીયામાં જણાવ્યાં છે.” ઉપર્યુક્ત શ્રાવકોની ચતુષ્પર્વ એ શબ્દાંતરથી આ ગાથામાં ઓળખાવ્યા મુજબ પપર્વ જ છે, છતાં ચતુષ્કર્વીની સંજ્ઞા આઠમ-ચૌદશ-પુનમ-અમાસ એ ચાર નામની અપેક્ષાએ આપવામાં આવેલી છે. અત્રે ધ્યાનમાં રહે કે-જૈન શાસ્ત્રોમાં આ એક જ ચતુષ્કર્વી કહી છે એમ નથી, કિંતુ બે આઠમો અને બે ચૌદશોને પણ ચતુપૂર્વી કહેલી છે. “પૂનમ અમાસને ચતુષ્પર્વમાં કહી છે, તેટલા ઉપરથી તેનું મહત્ત્વ વધારીને ચતુર્દશ્યાદિ. પ્રધાન તિથિઓની વિરાધના કરનારાઓ પૂનમીઆઓની માફક પોતાના પગ પોતાના ગળે નાખનારા છે. તે માટે જુઓ શ્રી પ્રવચન પરીક્ષા ૫. ૧૮૨. મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરજીએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ૧૦
SR No.005863
Book TitleHir Prashna
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy