SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ 49 હૃદય નયન નિહાળે જગધણી "अज्ञानतिमिरान्धानं ज्ञानांजनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः।" “બિના નયન પાવે નહીં બિના નયનકી બાત; સેવે સગુરુ ચરન, સો પાવે સાક્ષાત્.” | દિવ્યવિચાર એટલે આત્મતત્ત્વવિચાર. હું કોણ છું? હું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો? શું આ મારું સ્વરૂપ છે? નથી, તો મારું ખરું સ્વરૂપ કેવું છે? આ જે સંયોગ સંબંધો વળગ્યા છે અને એના બંધને બંધાયેલો છું, તે કેમ કરીને છે? કયા ને કોના બંધથી બંધન છે? શું એ રાખવા-જાળવવા-સાચવવા-વધારવા જેવા છે? કે પછી પરિહરવા-ત્યાજવા જેવા છે? આ આત્મતત્ત્વવિચાર-સ્વશોધનને પદ્યમાં જણાવે છે. હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. આવા મૂળને તપાસનારા આત્મશોધનરૂપ જે દિવ્યવિચાર છે, તે જ સમ્યગ્દષ્ટિ એટલે દિવ્યનયન છે, જેના વડે પંથડો-મારગ નિહાળી શકાય છે. દેવાલયમાં પ્રાણપ્રતિષ્ઠિત થઈને બિરાજમાન બીજા અજિતનાથ ભગવાનના આલંબનથી, પોતામાં રહેલ પરમાત્મસ્વરૂપના દર્શનથી, પરમાત્મસ્વરૂપનો પરિચય થવાથી, એની પ્રીતિ-તડપન થવી, તે જ દિવ્યનયન મળવા તુલ્ય છે કે જેના વડે મારગ જોવાય છે. - પોતાના જ્ઞાનને જ પોતાનું શેય બનાવી, જ્ઞાતા પોતે પોતાના જ્ઞાનમાં સમાઈ જાય તે મોક્ષ છે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy