SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ 391 - હૃદય નયન નિહાળે જગધણી કરી દેનારી ચિત્ર-વિચિત્ર-ભાતીગળ, વિસ્મયકારી છે. એ ત્રિભંગીની સમજથી પ્રાપ્ત થતી સ્યાદ્વાદદષ્ટિ-અનેકાન્તદષ્ટિ આનંદઘન એટલે પરમપદ-મોક્ષને લેનારી-મેળવનારી થાય છે. લક્યાર્થ-વિવેચન : આવી રીતે જુદા જુદા અનેક પ્રકારની ત્રિભંગી સ્યાત્ અસ્તિ, સ્યાત્ નાસ્તિ, સ્યાત્ અવક્તવ્યથી તત્ત્વવિચારણા કરી સ્યાદ્ધવાદશૈલિની સમજથી દૃષ્ટિની વિશાળતા, નિરાગ્રહીતા, સૂક્ષમતા-તીણતા પ્રાપ્ત કરી શકાય છે. એનાથી નિઃશંકતા, નિર્મળતા, શીતળતા, સમતા, સમભાવ, સમાધાન મળે છે. આવરણ હઠે છે. જ્ઞાનનો ઉઘાડ થાય છે અને મોહનો ક્ષય થાય છે. પરિણામે સમ્યજ્ઞાન, સમ્ય દર્શનની પ્રાપ્તિ થાય છે. અવિનાશી સાથે જોડાણ થાય છે, અવિનાશીની રૂચિ જાગે છે અને અવિનાશીની પ્રાપ્તિ પ્રતિ ગમન થાય છે. દૃષ્ટિ કરતાં દિશા ફરે છે અને દિશા ફરતાં દશા ફરે છે. જ્ઞાન અને દર્શન સભ્ય બનતા વર્તન પણ સભ્ય બને છે, જેથી સમ્યગૂ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. એ ત્રણેના અભેદ પરિણમનથી કેવળદર્શન અને કેવળજ્ઞાનના પ્રાગટ્યથી અનંતદર્શન, અનંતજ્ઞાન; અનંતસુખ, અનંતવીર્યની અર્થાત્ સુખના પિંડ સ્વરૂપ “આનંદઘનની પ્રાપ્તિ થાય છે. આવું અનુપમ, અભૂત, વિલક્ષણ, પરસ્પર વિરોધી છતાં આત્મશુદ્ધિમાં સંવાદી પરમ વિશુદ્ધ ત્રિભંગાત્મક પરમાત્મસ્વરૂપ છે. એ પરમાત્મસ્વરૂપને આદર્શ બનાવી, એનું દયેય રાખી, એની પ્રાપ્તિને જ એકમાત્ર કર્તવ્ય બનાવવા જેવું છે. સ્યાદ્વાદશૈલિ વિના જગતનું સમ્યજ્ઞાન ન થાય. સંસારનું સાચું જેવું છે તેવું સ્વરૂપ જણાય નહિ. સમ્યજ્ઞાન એ સમ્યગ્દર્શન થયાનું કેવળજ્ઞાનમાં સર્વ વસ્તુ જણાય જતી હોય છે અને મતિજ્ઞાનમાં સર્વ વસ્તુને જાણવા જવું પડતું હોય છે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy