SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ 387 - હૃદય નયન નિહાળે જગધણી જેવી પ્રભુની પ્રભુતા છે તેવી જ પાછી પ્રભુની નિગ્રંથતા હોય છે. બાહ્ય અભ્યતર કોઈ પણ પ્રકારની ગ્રંથિ ન હોવાથી પ્રભુની અપ્રતિબદ્ધતા બેજોડ હોય છે. શરીર ઉપર કાચા સૂતરનો એક તાંતણો પણ ન હોવા છતાં પ્રભુનું રૂપ તો ચક્રવર્તીને પણ ટક્કર મારે એવું દેદીપ્યમાન દિવ્ય હોય છે. ચારેય ઘાતી કર્મોના બંધનનો ક્ષય કરી રાગ-દ્વેષરહિત વીતરાગ નિર્વિકલ્પ હોવાથી પ્રભુ નિગ્રંથ છે. “યં વિરુદ્ધ ભગવંરત્વે નાચરચ. વિતા ' નિયતા પરા ય ર લાવોવૈશ્વર્તિતા ” વીતરાગસ્તોત્ર કલિકાલ સર્વજ્ઞ આમ અનુપમ પ્રભુતા અને નિર્ગથતા હોવા છતાં પરમાત્માને તે પ્રભુતાની અહંતા નથી, જગપ્રસિદ્ધિની લેશ માત્ર ઈચ્છા નથી; તે જ પ્રભુની આતતા અને અર્ધમતા છે. પ્રભુની આ વિલક્ષણતારૂપ અવક્તવ્યતા છે. ઈન્દ્રાદિ દેવો દ્વારા પ્રકૃષ્ટ માન-સન્માન મળતા હોવા છતાં, પ્રભુ અહંકારથી છલકાયા નહિ તે મહામહિમ પ્રભુની મહાનતા છે. માનને હણે છે તે જ મહાનતાને વરે છે. આવી પ્રભુની આશ્ચર્યકારી અદ્ભુત શક્તિ-વ્યક્તિ, ત્રિભુવન પ્રભુતા, નિર્ગથતાની ત્રિભંગી છે. “યોગી-ભોગી, વક્તા-મૌની, અનુપયોગી-ઉપયોગે રે....” તેરમા સયોગી કેવળી ગુણસ્થાનકે પ્રભુ યોગ સહિત હોવાથી સયોગી-સશરીરી-સાકાર છે. વળી ઘાતકર્મોનો સર્વથા ક્ષય કરીને જ્ઞાન ગુણ છે તેથી ઈષ્ટ-અનિષ્ટના ભાવ થાય છે એવું નથી. પણ જ્ઞાનની વિકૃતિ ઈષ્ટાનિષ્ટના ભાવ કરાવે છે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy