SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ 385 હૃદય નયન નિહાળે જગધણી 卐 ચારેય દિશામાં સવાસો યોજન સુધી મારી, મરકી, દુકાળ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, યુદ્ધાદિના ઉપદ્રવો દૂર થઈ સમગ્ર પર્યાવરણ ધર્માનુકૂળ બને છે; એ પણ ઇશ્વરનું (પ્રભુનું) ઐશ્વર્ય છે. દેવતાઓ ચામર વીંઝે છે, દેવદુંદુભિના નાદ કરે છે, દેવીઓ અંતરિક્ષમાંથી પંચવર્ણના સુરભિસભર સુરપુષ્પની પુષ્પવૃષ્ટિ કરે છે, દેવેન્દ્રો, નરેન્દ્રો, સુરેન્દ્રો, શ્રેષ્ઠિઓ, દેવદેવી, નરનારી, સાધુ-સાધ્વી, કેવળજ્ઞાની ભગવંતો, જાતિવેર ભૂલી હારોહાર બેસનારા તિર્યંચોની ઉપસ્થિતિ અને દેશનાશ્રવણ, ઈત્યાદિ પણ પ્રભુની પ્રભુતાનો ઉદ્યોત કરે છે. “કોડીગમે ઉભા દરબારે વ્હાલા મ્હારા જય મંગલ સુર બોલે રે; ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે, દીસે ઇમ તૃણ તોલે .'' સમવસરણમાં પાંચેય ઇન્દ્રિયોના પરિતૃપ્ત કરનારા પાંચેય વિષયોની ઉપલબ્ધિ હોવા છતાં અવિકારીતા છે. ભૂખ, તરસ, હાજતની ગેરહાજરી છે. માત્ર ત્રણ શબ્દો-ત્રિપદીના ઉચ્ચારણથી દ્વાદશાંગીની રચના ગણધરો દ્વારા થાય છે તે ભગવાનના જ્ઞાનાતિશયનો પ્રભાવ છે. પ્રભુની પ્રભુતા છે. અન્ય સામાન્ય કેવલીઓમાં કેવળજ્ઞાન હોવા છતાં તેમાં તીર્થંકરનામકર્મનો ઉદય ભળેલો ન હોવાના કારણે તેમના જ્ઞાનમાં લોકાલોક પ્રકાશકતા હોવા છતાં ય એ અતિશય હોતો નથી કે જેથી તેમનાથી અપાયેલ ત્રિપદી દ્વારા અંતર્મુહુર્તમાં દ્વાદશાંગીની રચના થઇ શકે. આટઆટલી બાહ્ય-અત્યંતર પ્રભુતા છતાં ય પરમાત્મામાં કોઈપણ પરદ્રવ્યના, કોઈપણ પરિણમનમાં, કોઈપણ સ્વરૂપે હેતુતા એટલે કે કારણતા નથી; તેથી તેઓશ્રી પરદ્રવ્ય પરિણમનરૂપ પ્રભુતાથી અર્થાત્ તેના કર્તાભોક્તાપણાથી રહિત છે. જ્ઞાન, જ્ઞેયના જ્ઞાનથી મહાન નથી પણ જ્ઞાતાના જ્ઞાનથી મહાન છે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy