SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુવિધિનાથજી 350 આદિને પણ પોતામાં શોષી નહિ લેતા સપાટી ઉપરથી સરકાવી દે છે. એ જ રીતે જે જીવ સંસારમાં પેદા થાય છે, સંસારમાં વિકસે છે અને સંસારથી નિર્લેપ થઈ સંસારમાં તરતો રહે છે, એ સંસારમાં-જગતમાં રહે છે પણ સંસાર-જગત એનામાં નથી રહેતા. આવી જે દશા છે તે જ ઉજાગર-જાગૃત દશા છે. અવિકારીતા છે. આ અવિકારી અવસ્થા તે જ “તુરિય ભેદ પડિવત્તીપૂજા' છે. આવી ચાર પ્રકારની પૂજા, મૂળસૂત્ર ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯મા સમ્યકત્વ પરાક્રમ અધ્યયનમાં, કેવળજ્ઞાની ભગવંતોએ પ્રકાશી છે. ઈમ પૂજા બહુર્ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરશે તે લેશે, “આનંદઘન” પદ ધરણી રે. સુવિધિ૦૮ પાઠાંતરે “સુણીને સ્થાને “સુણીને, ‘લેશેના સ્થાને ‘લહસ્ય કે લહસ્ય' છે. “ભવિક'ના સ્થાને “ભાવિક' એવો પાઠફેર છે. શબ્દાર્થ ઃ આમ ઉપરોક્ત પૂજાના બહુવિધ પ્રકારોને સાંભળીને તે સુખદાયક પૂજા કરવાની શુભ કરણી જે ભવિક એટલે ભવ્યાત્માભવિજીવ કરશે, તે “આનંદઘન” એટલે કે પરમપદે બિરાજમાન પરમાત્માઓનો સમુહ જ્યાં છે તેવી ધરણી સિદ્ધશિલા-ઈષપ્રાન્મારા ઉપર સ્થાન પામશે. અર્થાત્ લોકાગ્ર શિખરે આરૂઢ થશે. લક્ષ્યાર્થ-વિવેચનઃ આ પ્રકારની પ્રભુજીની પૂજાની વિધિના જુદા જુદા ભેદ સાંભળવા, સમજવા અને જાણવા તે પણ શાતા સુખને આપનાર જિન માહાભ્ય શ્રવણરૂપ શુભકરણી જ છે. જિનસ્વરૂપ, જિનમાહાભ્ય, જિનપૂજામહિમા, જિનપૂજાવિધિ દેહાધ્યાસ છે ત્યાં સુધી કર્તાપણું છે અને કર્તાપણું છે ત્યાં સુધી સંસાર છે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy