________________
હૃદય નયન નિહાળે જગધણી
1
શ્રી ઋષભદેવ જિન સ્તવને રાગ : મારુ ... “કરમ પરીક્ષા કરણ કુમાર ચાલ્યો..” એ દેશી
ઋષભ જિનેસર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત; રીજ્યો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ૦૧ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય. ઋષભ૦૨ કોઈ કંત કારણ કાષ્ઠ ભક્ષણ કરે રે, મિલરૂં કંતને ધાય; એ મેલો નવિ કહિયે સંભવે રે, મેલો ઠામ ન ઠાય. ઋષભ૦૩ કોઇ પતિ રંજણ અતિ ઘણો તપ કરે રે, પતિરંજણ તનું તાપ; એ પતિરંજણ મેં નવિ ચિત્ત ધર્યો રે, રંજણ ધાતુ મિલાપ. ઋષભ૦૪ કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આસ; દોષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ. ઋષભ૦૫ ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અરપણા રે, “આનંદઘન પદ રેહ. ઋષભ૦૬
જે દેખાય છે એ ખરેખર નથી જ કારણકે તે વિનાશી છે અને
જે નથી દેખાતું એ છે, કારણકે તે અવિનાશી છે.