SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ 335 v ઇદય નયન નિહાળે જગધણી સંપૂર્ણ દર્શન અને સંપૂર્ણ જ્ઞાન થાય છે. એ ભાવદીપકના ભાવપ્રકાશજ્ઞાનપ્રકાશમાં લોકાલોક-બ્રહ્માંડ સમગ્ર જ્યાં છે ત્યાં, જેમ છે તેમ અને જેવું છે તેવું ભાસે છે એટલે કે દેખાય છે-જણાય છે. તેથી જ ભાવુક ભક્તના હૈયેથી પ્રાર્થના પ્રગટે છે કે.. “અંધારે અથડાતો આ આતમ, તું પરમાતમ પ્રકાશ પાસે આવી, પ્રકાશ પ્રગટાવી પ્રકાશને પ્રાર્થતો મુજ ઉર અંધકારે પ્રકાશ પ્રગટાવો!” ૬. અક્ષતપૂજા: ધૂપદીપપૂજાના અનુસંધાનમાં ત્રીજી અગ્રપૂજા અક્ષતપૂજા છે. મંત્રોચ્ચાર સહિત નીચેના દુહા બોલવાપૂર્વક અક્ષયપદને આપનારી જેનધર્મની આગવી કહી શકાય એવી અક્ષતપૂજા ભાવપૂર્વક કરવાની હોય છે. “શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી નંદાવર્ત વિશાળ; પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકળ જંજાળ.” “અક્ષત પૂજા કરતાં થકાં, સફળ કરું અવતાર; ફળ માંગું પ્રભુ આગળ, તાર તાર મુજ તાર. સાંસારિક ફલ માંગીને, રડવડ્યો બહુ સંસાર; અષ્ટ કર્મ નિવારવા માંગું મોક્ષફળ સાર. ' ચિંહુ ગતિ ભ્રમણ સંસારમાં, જન્મ મરણ જંજાળ; પંચમગતિ વિણ જીવને, સુખ નહિ ત્રિ કાળ. દર્શન-જ્ઞાન-ચારિત્રનાં, આરાધનથી સાર; સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર.” - ભારતીય સંસ્કૃતિમાં અક્ષત શુકનવંતા ગણવામાં આવ્યા છે. શુભ પ્રસંગોમાં વિશિષ્ટ અક્ષતનો વિશિષ્ટ રીતે ઉપયોગ થતો હોય છે. વિજય (અ) અજ્ઞાનદશામાં કર્મોને વિપાકોદયથી ભોગવવા પડે તે સંસારમાર્ગ છે. • (બ) જ્ઞાનદશામાં રહીને કર્મો પ્રદેશોદયથી ભોગવાઈ જઈ સુરસુરિયાં થઈ ખરી પડે તે મોક્ષમાર્ગ છે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy