SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુવિધિનાથજી 316 પ્રણામની .યોગમુદ્રામાં જોડી પ્રભુજીની સન્મુખ આસનસ્થ થવું તે ‘ચૈત્યવંદનમુદ્રા’ છે. ભાવપૂજા-ચૈત્યવંદન, ચૈત્યવંદનની મુદ્રામાં કરવામાં આવે છે. ચૈત્યવંદન દરમ્યાન ‘જાવંતિ ચેઇઆઇ’, ‘જાવંત કેવિ સાહ્’ અને ‘જયવીયરાય . (પ્રાર્થના) સૂત્ર’નું ઉચ્ચારણ ‘મુક્તાશુક્તિમુદ્રા’માં કરાતું હોય છે. કાયોત્સર્ગ‘કાઉસગ્ગમુદ્રા’ એટલે કે ‘જિનમુદ્રા'માં કરવામાં આવે છે. ૧૦) પ્રણિધાનત્રિક : ‘જાવંતિ ચેઈઆઈં’, ‘જાવંત કેવિ સાહ્’ અને આભવમખંડા સુધી બોલાતું ‘પ્રાર્થના સૂત્ર-જયવીયરાય' એ ત્રણ પ્રણિધાનત્રિકના નામથી ઓળખાય છે. અથવા મન-વચન-કાયાની એકરૂપતાપૂર્વકની એકાગ્રતાથી એક-મના થવું તે પ્રણિધાન છે. ‘જાવંતિ ચેઇઆઇં’ સૂત્રથી ચૈત્યની વંદના દ્વારા અરિહન્તપદ અને સિદ્ધપદનું લક્ષ્ય-પ્રણિધાન કરાય છે. એ પ્રણિધાનની પૂર્તિ માટે સાધુ ભગવંતોની વંદના ‘જાવંત કેવિ સાહ્’ સૂત્રથી કરવા દ્વારા સાધુપદનું પ્રણિધાન કરાય છે. આ બંને પ્રણિધાનની પૂર્તિ માટે પ્રભુજી પાસેથી એમના પ્રભાવે ભવનિર્વેદ, માર્ગાનુસારિતા, ઈષ્ટફલસિદ્ધિ આદિની માંગણી ‘જયવીયરાય’ પ્રાર્થનાસૂત્રથી કરાય છે. આમ યથાર્થ રીતે આ ત્રણ સૂત્રોના ઉચ્ચારણને પ્રણિધાનત્રિક કહેવાય છે. પાંચ અધિગમ-Five Code of Conduct-આચાર સંહિતા ઃ ધર્મકરણી-શુભકરણી માટે દેવગુરુ પાસે જતાં જે આચાર સંહિતાની પાલના કરવાની છે તેને અધિગમ કહેવાય છે. એના પાંચ પ્રકાર છે. સહુએ દેવગુરુની ઉપાસનામાં આ પાંચ પ્રકારના અધિગમની પાલના કરવાની હોય છે. શિષ્ટાચાર જાળવવાનો હોય છે. અધ્યાત્મમાં ગમન આશ્રિતતા છે તેથી આશ્રમની વ્યવસ્થા છે. જ્ઞાનીઓને આશ્રમનો પણ શ્રમ હોતો નથી.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy