________________
શ્રી સુવિધિનાથજી ,
296
તુરિય ભેદ પડિવત્તી પૂજા, ઉપશમ ખીણ સયોગી રે; ચઉહા પૂજા ઈમ ઉત્તરઝયણે, ભાખી કેવળભોગી રે. સુવિધિ૦૭ ઇમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભાવિક જીવ કરશે તે લેશે, “આનંદઘન’ પદ ધરણી રે. સુવિધિ૦૮ - અવધૂતયોગી કવિરાજશ્રી આનંદઘનજી મહારાજાએ, પ્રેય એવા પરમાત્મા, પ્રથમ જિનેશ્વર, ઋષભદેવની પ્રેયતાના ગાનથી પ્રારંભ કર્યો. પછી જિનેન્દ્ર પરમાત્મા જેવા, અજિત થવાના મારગને નિહાળ્યો. એ પંથે પ્રયાણ કરવાની સજ્જતા-પાત્રતાની વિચારણા સંભવ જિન સ્તવનામાં કરી. અભિનંદન જિન સ્તવનામાં પ્રેમને પામવાની પ્યાસની અભિવ્યક્તિ થઈ. પછી પાંચમા સુમતિ જિન સ્તવનાથી યોગીરાજે સુમતિને સ્વરૂપની ઓળખ કરાવી અને છઠ્ઠી પદ્મપ્રભ જિનના ગુણગાન દ્વારા એ સ્વરૂપથી પડી ગયેલા આંતરાની-ભેદની જાણ કરાવી. સાતમા સુપાર્શ્વનાથની અનેકંવિધ નામથી સ્તવના કરતાં જુદા જુદા નામથી પરમાત્માના જુદા જુદા અનેક ગુણોની ઓળખ કરાવી. આઠમા ચંદ્રપ્રભસ્વામીની સ્તવનાના માધ્યમે પરમાત્માના દર્શનની દુર્લભતા અને દર્શનનું માહભ્ય સમજાવ્યું. હવે એ દર્શનીયના દર્શનનો લાભ મળ્યો છે, તો તેમના દર્શન-વંદનસન્માન-સત્કાર-પૂજન-અર્ચન-ભાવન સુવિદિત સુવિધિપૂર્વક કેમ કરવા તેની વિધિની વાત અલગારી યોગીરાજજીએ આ સુવિધિ જિન સ્તવનામાં વણી લીધી છે.' * પ્રારંભ પ્રીતિથી થયો. એ પ્રીતિ ભક્તિથી અભિવ્યક્ત થાય છે. એ ભક્તિ વિરતિમાં પરિણમીને મુક્તિમાં વિરામ પામે છે. મુક્તિને આપનાર પ્રીતિ-ભક્તિ-સ્મૃતિ વિષે પહેલાં થોડી પૂર્વ-વિચારણા કર્યા પછી આપણે આ સુવિધિ જિન સ્તવનની વિચારણા કરીશું.
સ્વયંના આત્માને તીર્થરૂપ બનાવવો તે ઊંચામાં ઊંચી તીર્થ પ્રભાવના છે.