________________
257
હૃદય નયન નિહાળે જગધણી
5
પ્રભુ પુરુષ તો છે જ પણ પરમતાને પામેલા છે. એટલે ‘પરમ પુરુષ' છે. – પુરિસુત્તમાણં પુરુષનો અર્થ આત્મા કરીને વિચારીએ તો પ્રભુ પરમ આત્મા છે. નમ્રુત્યુણં સૂત્રમાં જણાવ્યા મુજબ ઉપમા વિશેષણથી વિચારીએ તો પ્રભુ પુરિસસીહાણ, પુરિસવરપુંડરિઆણં, પુરિસવરગંધહત્થીણું છે.
પ્રભુ, સવ્વન્ત્ર્ણ-સવ્વદરિસીણં-સિવ-મયલ-મરૂઅ-મતમક્ષય
મવ્વાબાહ-મપુણરાવિત્તિ-સિદ્ધિગઈ-નામધેય-ઠાણંસંપત્તાણું હોવાથી, બહિરાત્મપણાથી અને અંતરાત્મપણાથી ઉપર ઉઠેલા પરમતાને પામેલા ‘પરમાતમા’ છે.
હે પ્રભો ! આપ તીર્થંકર નામકર્મના વિપાકોદયથી પ્રાટ થયેલ અષ્ટપ્રાતિહાર્યોના ઐશ્વર્યથી યુક્ત છો અને તેથી મહામોહક છો, ચોત્રીસ અતિશયોથી શોભતા મહાપ્રભાવક મહિમાવંત છો, સ્વયં તીર્થસ્વરૂપ છો અને પાછા પાંત્રીસ ગુણ અલંકૃત વાણીથી ભવ્યજનોને તારનાર તીર્થના સ્થાપક છો, આપને જોતાં જ અહો! અહો! ના ભાવથી આશ્ચર્યચકિત થઈ જવાય એવા, દેવ-રચિત દિવ્ય સમવંસણમાં બિરાજમાન છો! આવા પ્રકૃષ્ટ ઐશ્વર્યના સ્વામી આપ સુપાર્શ્વપ્રભુ પરમેશ્વર-પરમેસર છો!! દેવદેવીઓ દિવ્ય, સુરભિ-સભર પંચવર્ણના સૂરપુષ્પથી પુષ્પવૃષ્ટિ કરતાં હોય, દેવો દ્વારા દુંદુભિનાદ થતો હોય, દિવ્યધ્વનિ ગૂંજતો હોય, વાતાવરણ સુગંધીમય દિવ્ય હોય, શીતળ આલ્હાદક વાયુ શાતા આપતો હોય, પક્ષીઓ પ્રદક્ષિણા દેતા હોય, દેવો આપના પગલે-પગલે સુવર્ણકમલ રચતા હોય; ચક્રવર્તી નરેન્દ્રો, સુરેન્દ્રો, દેવેન્દ્રો આપને નમતા હોય, ઈન્દ્રો આપને ચામર વીંઝતા હોય, રત્નજડિત, સ્ફટિકમય સુવર્ણસિંહાસન ઉપર દેદીપ્યમાન દેહે આપ વિરાજતા હો અને બારેય પર્ષદા મંત્રમુગ્ધ થઇ
આત્મા આત્માને ઓળખે ત્યારે આત્મા આત્માના ઘરમાં રહે.