SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ 227 - હૃદય નયન નિહાળે જગધણી * આશ્રવથી થતા યુજનકરણનો, સંવરગુણથી નિરોધ કરી ગુણકરણથી ગુણારોહણ કરવામાં આવે, તો અંતરનું અંતર ફાંસલો-દૂરી) ભાગે અને ભેદમાંથી અભેદમાં જવાય એટલે કે દૈત મટી અદ્વૈત થવાય. મિથ્યાત્વને સમ્યકત્વમાં રૂપાંતરિત કરાય તો સમત્વ આવે. અવિરતિને વિરતિમાં રૂપાંતરિત કરાય તો સ્વરૂપરમણતા-સ્વરૂપસ્થિતતા આવે. કષાયને અકષાય-નિષ્કષાયતામાં રૂપાંતરિત કરાય તો અશાંતતા જાય અને પ્રશાંતતા આવે. યોગનિરોધ થાય તો આત્મપ્રદેશ સ્થિરત્વ આવે અને રૂપારૂપીમાંથી અરૂપી-અમૂર્ત-નિરાકાર બનાય. આશ્રવને સંવરથી અવરોધીને સંવરપૂર્વક નિર્જરા કરાય તો કર્મબંધ સર્વથા નિર્જરી જતાં-ખરી પડતાં બન્ધનમાંથી મુક્તિ મળે છે. મુંજનકરણનું ભંજનકરણ જ ગુણકરણ છે, કે જેથી યુક્તથી મુક્ત થવાય. સોનાને માટીથી છૂટું પાડી દઈ શુદ્ધ ચોવીસ કેરેટનું કુંદન-સુવર્ણ એના નક્કર, ઘન, લગડી સ્વરૂપે મેળવાય. એ શુદ્ધ સોનાના અલંકાર બનતા નથી. મુંજનકરણમાં કર્મથી સંયુક્તતા છે. ગુણકરણમાં કર્મથી વિભક્તતા છે. આગમગ્રંથોમાં જણાવ્યા મુજબનો શ્રુતંજ્ઞ-આગમજ્ઞ પંડિતપુરુષોએ અંતરભંગનો સારામાં સારો આ જ ઉપાય કહ્યો છે કે અતિક્રમણ થયું છે તો તેનું પ્રતિક્રમણ કરો ! પરઘેરથી સ્વઘરમાં પાછા ફરી સ્વમાં સ્થિત થઈ સ્વસ્થ થાઓ !!! યુજનકરણ અટકે, ગુણકરણ પ્રગટે તો જ સ્વરૂપસ્થ થવાય, અન્યથા નહિ. સમલમાંથી અમલ થવાનો માર્ગ કવિરાજે આ છઠ્ઠા પદ્મપ્રભુસ્વામીના સ્તવનના માધ્યમે બતાવ્યો છે. એ એમની ભગવાનના પદ્મ (કમલ) નામના ભાવવિશેષને સ્તવનમાં ગૂંથી લેવાની કલાસૂઝના દર્શન કરાવે છે. દષ્ટિ અને જ્ઞાન કારણ છે કે જે કારણ, ચારિત્રરૂપ કાર્યમાં પરિણમે છે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy