SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ 225 હૃદય નયન નિહાળે જગધણી મુંજનકરણે હો અંતર તુજ પડ્યો રે, ગુણકરણે કરી ભંગ; ગ્રંથ ઉક્ત કરી પંડિત જન કહ્યો રે, અંતરભંગ સુસંગ. પદ્મપ્રભ૦૫ પાઠાંતરે ભાષાફેરને કારણે ઉત્તે'ના સ્થાને “ઉક્તિ છે. શબ્દાર્થ ઃ મુંજનકરણ એટલે કર્મસંયુક્તતા-કર્મજોડાણ. અંતર એટલે આંતરું-દૂરી-છેટાપણું. ઉક્ત એટલે કહેલું છે. સુઅંગ એટલે કે આંતરું ભાંગવાના સુસંગ-સારા અંગ અર્થાત્ સારો ઉપાય-ઇલાજ છે. અથવા સુ-અંગ લઈએ તો શ્રુતજ્ઞાનના અંગરૂપ-સુઅ+અંગ છે. અથવા તો સ્વઅંગ-સ્વરૂપપદ-સ્વપદ. કર્મસંઘાત-કર્મસંયુક્તતા અર્થાત્ કર્મની સાથેના યુજનકરણ-જોડાણને લીધે તમારી અને મારી વચ્ચે આ ફાંસલોઅંતર-ભેદ પડી ગયો છે. ગુણકરણે એટલે કે ગુણોની ખિલવણીથી ગુણારોહણ કરીને, કર્મની સાથેના સંઘાત-જોડાણનો વિઘાત-ભંગાણ કરવાથી, મારી તમારી વચ્ચેના પડી ગયેલ અંતરને ભાંગી શકાશે-દૂર કરી શકાશે. શાસ્ત્રો અને આગમગ્રંથોના પ્રમાણથી પંડિત પુરુષો-જ્ઞાની, ગુરુ ભગવંતોએ, આ જ અંતરભંગનો એટલે કે ભેદ દૂર કરી અભેદ થવાનો સારો ઈલાજ-ઉપાય-યુક્તિ છે એમ કહ્યું-જણાવ્યું છે. લક્ષ્યાર્થ : વિવેચન : સ્તવનના પહેલાં જ ચરણમાં કવિરાજ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે હે પદ્મપ્રભ ભગવંત ! તારે મારે આંતરુંભેદ પડી ગયો છે, તે અંતર કેમ કરીને ભાંગે? આ પ્રશ્નનું સમાધાન અવધૂતયોગી આનંદઘનજી સ્તવનના આ પાંચમાં ચરણમાં કરે છે. ભેદ-અંતર પડવાનું કારણ કર્મ જોડાણ-કર્મ સંયુક્તતારૂપ | નિગોદની ગતિ અને મોક્ષની ગતિ સામસામી છે. • એક નિકૃષ્ટ ચૈતન્યાવસ્થા છે તો બીજી સામે પારની ઉત્કૃષ્ટ ચૈતન્યાવસ્થા છે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy