SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પદ્મપ્રભ સ્વામીજી 214 જુદા જ છે. સોનું એ સોનું છે અને માટી એ માટી છે. પરંતુ ખાણમાંથી બન્ને એકમેક થયેલા ભેગા જ મળી આવે છે. સોનાને માટીનો સંયોગ થયો છે અને માટીને સોનાનો સંયોગ થયો છે. – અરસપરસ અન્યસંયોગી બન્યા છે. અનાદિની કુદરતી-પ્રાકૃતિક રચના કહો કે વ્યવસ્થા કહો તે આવી વ્યવસ્થિત જ છે. “જોડી અનાદિ સ્વભાવ...’’ છે. સોનું અને માટી કે પાષાણનો સંયોગ ક્યારે થયો? તે કોઈ કહી શકે એમ નથી. એ તો અનાદિની જોડી સ્વભાવમાં જ છે. એવો જ પુરુષ અને પ્રકૃતિ એટલે કે જીવ અને કર્મનો અરસપરસ સંયોગ સંબંધ છે. અનાદિની આ સંયુક્તતાજોડી સ્વભાવ છે. એના પ્રારંભની પૃચ્છા કરવી અપ્રસ્તુત છે. કારણ કે મૂળનું મૂળ ન હોય અને ફળનું ફળ ન હોય. જો મૂળનું મૂળ હોય અને ફળનું ફળ હોય તો મૂળનો અને ફળનો અભાવ થઈ જાય. આ મૂળ સ્વભાવ-મૂળ પ્રકૃતિ છે. આવો જ્યાં સુધી અન્ય સંયોગી આત્મા છે, ત્યાં સુધી તે સંસારી કહેવાય છે. એ સહ અન્ય-સાન્ય એટલે કે સાપેક્ષ છે. આત્મા જ્યારે અન્ય સંયોગથી છૂટો પડી જાય છે ત્યારે તે(ન) અ+અન્ય = અનન્ય એટલે કે અપેક્ષા વિનાનો નિરપેક્ષ સિદ્ધ આત્મા-શિવ થઈ જાય છે. એટલે જ સંથારા પોરિસીમાં ફરમાવ્યું કે..‘‘II સંનોT मूला 'जीवेण पत्ता -વપરંપરા ।।' ' તત્ત્વાર્થ સૂત્રમાં પૂર્વધર વાચક ઉમાસ્વાતિજી પણ જણાવે છે કે... ‘।। ભૃત્ત્તર્મક્ષયો મોક્ષઃ ।।’’ યોગબિંદુ ગ્રંથમાં પૂ. આચાર્ય હરિભદ્રસૂરિજી પણ આ જ વાત ફરમાવે છે કે... સાત્માના નિર્મળ પર્યાયની અનુભૂતિ તે ભાવ શાસન-સ્વરૂપ શાસન છે, તે પામવા માટે જિનશાસન છે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy