SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પદ્મપ્રભ સ્વામીજી કે 208 બદલે સંત બહુને બદલે બીહુ; હો ને બદલે હો બે એવો પાઠ ફરક છે. શબ્દાર્થ : ૧) પઈ એટલે પ્રકૃતિ. કર્મબંધના ચાર પ્રકાર પૈકી પ્રથમ પ્રકૃતિબંધ છે. બંધાયેલ કર્મ શું ફળ આપશે, તે કર્મનો સ્વભાવ જેમાં નક્કી થાય છે તે પ્રકૃતિબંધ છે. કર્મફળ કેવું હશે એ આ પ્રકૃતિબંધથી નક્કી થાય છે. Nature. ૨) ઠિઈ એટલે થિતિ-સ્થિતિ. બંધાયેલું કર્મ બંધાયા પછી કેટલો કાળ સત્તામાં રહેશે તેનું કાળમાન નક્કી કરનાર Time બંધ તે સ્થિતિબંધ છે. ૩) અણુભાગ એશ્લે અનુભાગ અર્થાત્ રસ-કર્મફળની તીવ્રતા. કર્મફળ કેટલું હશે, તેની પ્રબળતા Intensity-Power નક્કી કરનાર આ ત્રીજા પ્રકારનો અનુભાગબંધ-રસબંધ છે. ( ૪) પ્રદેશબંધ એ ચોથા પ્રકારનો બંધ છે જે નક્કી કરે છે કે કેટલા પ્રમાણમાં-જથ્થામાં કાર્મણવર્ગણા-પુલપરમાણુ ગ્રહણ કરીને બાંધ્યા છે તે ઉuantum નક્કી કરે છે. કર્મબંધના આવા ચાર, પ્રકાર પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ બંધ છે, તો એ કર્મો પાછા મૂળ એટલે મુખ્ય અને ઉત્તર એટલે પેટાભેદ બહુ બહુ પ્રકારના છે. કર્મના મૂળ આઠ ભેદ છે. એ આઠ કર્મોના ઘાતી અને અઘાતી એમ બે ભેદ હોય છે. એ મૂળ કર્મોના ઉત્તરભેદ-પેટાભેદ કુલ મળી ૧૫૮ છે. મૂળ આઠ કર્મો પૈકીના જે ચાર કર્મો ૧) જ્ઞાનાવરણીય ૨) દર્શનાવરણીય ૩) મોહનીય અને ૪) અંતરાય કર્મ છે; તે આત્માના પરમાત્મ-સ્વરૂપનો ઘાત કરનાર હોવાથી એને ઘાતકર્મ કહેવાય છે. ઘર્મની ઓળખ ભેદથી થાય પણ ઘર્મની પ્રાપ્તિ અભેદથી થાય.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy