________________
181
હૃદય નયન નિહાળે જગધણી
અને શુદ્ધ સોનાચાંદીનો જાણકાર ચોકસી, ખાણમાંથી મળી આવતા રજતપાષાણ સ્કંધ અને સુવર્ણપાષાણ સ્કંધમાંથી એને અગ્નિમાં તપાવીને, જરૂર પડે રાસાયણિક પ્રક્રિયા કરીને, અશુદ્ધિને ઓગાળીને, સો ટચની શુદ્ધ ચાંદી કે ચોવીસ કેરેટનું શુદ્ધ સુવર્ણ-કુંદન એના શુદ્ધ ઘન નક્કર લગડી સ્વરૂપે મેળવી લે છે. એમ સમ્યગ્દષ્ટિ આત્મા દેહભિન્ન સ્વતંત્ર શુદ્ધ નક્કર ચિદ્ઘન-આનંદઘન સ્વરૂપ આત્માને આત્મવિકાસની જુદીજુદી ચૌદ ભૂમિકા પસાર કરીને પ્રાપ્ત કરે છે. જો કે સમકિતી આત્મા ચોથી ભૂમિકાએ હોઈ એણે ઉપરની બાકીની દશ ભૂમિકામાંથી પસાર થવાનું રહે છે.
આમ આત્મા પોતે જ પોતાનો સંસાર રચે છે અને પોતાના વડે જ, પોતે જ પોતાનો મોક્ષ (સંસારના બંધનો અને દુઃખોથી છૂટકારો) કરે છે. આ રીતે જોતા આત્મા પોતે જ પોતાનો શત્રુ છે અને પોતે જ પોતાનો મિત્ર પણ છે; જે સભ્ય માર્ગદર્શન આપે છે. વળી પાછો પોતે જ પોતાનો ગુરુ છે જે પોતાના આત્માને મિથ્યાત્વના અંધકારમાંથી કેવલ્યના પ્રકાશમાં લાવે છે. એટલે જ કહ્યું છે...
સામૈવ
ાનો વરાનૈવ રિપુરાત્મનો.” શાબ્દિક કે બૌદ્ધિક અને આગળ વધીને દેહભિન્ન શુદ્ધાત્માની હાર્દિક સમજ આવ્યા છતા, ભેદાભ્યાસથી ગ્રંથિભેદ કરી જ્યાં સુધી દેહભિન્ન શુદ્ધાત્માની સ્વતંત્ર-અનુભૂતિ નહિ કરે, ત્યાં સુધી દેહથી છૂટા પડાતું નથી અને આત્માની સાથે સાંધો જોડાતો નથી. | ‘જ્ઞાનાર્ણવ' નામના ગ્રંથમાં શ્રીમદ્ શુભચંદ્ર મુનિની વાતને ટાંકતા શ્રી આનંદઘન-ચોવીશીના ગ્રંથકાર શ્રીયુત મો.ગિ. કાપડિયા જણાવે છે
“આત્માએ જ્ઞાન દ્વારા આત્મામાં રહેવાનું છે અને પોતે શરીરથી
ટ્રેનની મુસાફરીમાં જેવો સહપ્રવાસી સાથેનો સંબંધ હોય છે એવો સ્વજનો સાથેનો સંબંધ હોવો જોઈએ.