SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ 177 હૃદય નયન નિહાળે જગધણી 卐 ધન વધતા સુખી બને, ઘટતા દુઃખ ન માય; બહિરાતમ સુખ શું લહે, ભવમાંહી ભટકાય. જે જે આંખે દેખતો ઇષ્ટ વસ્તુ સુખકાર; તેની તૃષ્ણા રાખતો, પામે દુઃખ અપાર. યાવત્ બહિરાત્મપણું, તાવત્ છે સંસાર; બહિરાતમને છાંડતા, લહીએ ભવજલ પાર. મૃગ કસ્તુરી ભટકતો, કસ્તુરીની ગંધ; કસ્તુરી તો દુંટીમાં, બહિરાતમતિમ અંધ. ફોનોગ્રાફની પેઠે જે, બોલી જાણે બોલ; આત્મસ્વરૂપ ન જાણતાં, બહિરાતમ,પદ તોલ. છે કે... યા પુદ્ગલકા ક્યા વિસવાસા, હૈ સપને કા વાસા; ચમત્કાર બિજલી હૈ જૈસા, પાની બિચ પતાસા..... ૯ ૧૦ ૧૨ પૂ. ચિદાનંદજી શ્રીમદ્ આનંદઘનજી મહારાજા સ્વયં પણ એમના પદમાં ફરમાવે શ્રદ્ધા થાય ત્યાં પુરુષાર્થ થાય. શ્રદ્ધાનું બળ પુરુષાર્થને વેગ આપે છે. ૧૧ પુદ્ગલનું સુખ ક્ષણિક છે. આવા આ ક્ષણિક આભાસી સુખના મોહમાં ફસાયેલ, મોહવશ પડેલ આત્માઓ, આત્માનું ભાન, આત્મજાગૃતિ ખોઈ બેઠા હોય છે. તેથી તેમને મોહનિદ્રામાં નિદ્રિત થયેલ ગણાવ્યા છે. મોતરૂપી હાથી જેની પાછળ પડ્યો છે, જે આયુષ્યરૂપી વડવાઈને પકડીને લટકી રહ્યો છે, એની એ આયુષ્યરૂપી વડવાઈને દિવસ-રાતરૂપી ધોળા કાળા ઉંદરો કાપી રહ્યાં છે, જે કૂવામાં લટકી રહ્યો છે તેમાં રહેલાં કષાયરૂપી સર્પો ફુંફાડા મારી ડંખવા આતુર છે અને દુર્ગતિરૂપ અજગર
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy