SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ 173 : હૃદય નયન નિહાળે જગધણી ' જે દેહધારી હોવા છતા દેહ-અંતર્ગત પોતાના પરમાત્મસ્વરૂપથી અભેદ થઈ, સ્વરૂપાવસ્થા-સ્વરૂપદશામાં, વિહરમાન છે અને નિર્વાણ પામતા અદેહી-અશરીરી-અયોગી એવી સિદ્ધદશા-સિદ્ધાવસ્થાને પામનાર, સદેહસાકાર-સયોગી કેવળી છે તે પરમાત્મા છે. આવા શરીરધારી આત્માઓના ત્રણ મુખ્ય ભેદ છે. બાકી જે અશરીરી છે, તે સર્વ સિદ્ધાત્મા છે અને તે સર્વે લોકાગ્રશિખરે સિદ્ધશિલા ઉપર સાદિ-અનંતકાળ પરમધૈર્યને પામીને રહેલ છે. અહી; અરૂપી, અમૂર્ત છે. જેમ પુદ્ગલના જીવ સહિત સચિત્ત અને જીવ રહિત અચિત્ત એવા બે ભેદ છે તેમ જીવના પણ પુદ્ગલસહિત (શરીરધારી) સંસારી અને પુદ્ગલ રહિત (અશરીરી) સિદ્ધ એવા બે ભેદ છે. ' શુદ્ધ-અશુદ્ધની દૃષ્ટિએ દેહધારી, સંસારી આત્માનું વિભાજન વિચારીએ તો; જે અશુદ્ધ છે, કે જે પછી ૧૨-૧૪ કેરેટથી ઓછા કેરેટના સોના જેવો છે, તે “બહિરાત્મા” છે. જે શુદ્ધાશુદ્ધ એટલે કે ૧૪ થી ૨૨ કેરેટના સોનાના અલંકાર જેવો છે, તે માનવ સમાજના અલંકાર- દાગીના સ્વરૂપ “અંતરાત્મા” છે. અને જે શુદ્ધ નક્કર ઘનસ્વરૂપ ૨૪ કેરેટના કુંદન-શુદ્ધ સુવર્ણ સ્વરૂપ છે કે જેના અલંકાર નથી બનતા, એ મૂળ ધાતુસ્વરૂપ પરમાત્મા છે. એ સુવર્ણ કહેવાય છે કેમકે એ એના સુ એટલે સારા-પોતાના કે સ્વ, વર્ણ કહેતા રંગમાં છે. આત્મભાવ-સ્વભાવમાં છે. સ્તવનના રચયિતા યોગીરાજશ્રી સ્વયં, આ જ સ્તવનની આગળની ગાથાઓમાં, વિશેષ વિગતે આત્માના આ ત્રણેય પ્રકારોને હવે સમજાવી રહ્યા છે. આતમબુદ્ધ કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ સુજ્ઞાની; કાયાદિકનો સાખીધર રહ્યો, અંતર આતમરૂપ સુજ્ઞાની. સુમતિ૭૩ બોઘની સૂટમતા એટલે બોઘની અસરકારકતા.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy