SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અભિનંદન સ્વામીજી 156 અથવા તો જ્ઞાનસુધારસપાન એ જ્ઞાનાનંદ છે જેમાં નિર્ભયતા, નિશ્ચિતતા, નિઃશંકતા, નિરીહતા, નિર્મોહીતા છે અને તેથી જ તે અમૃત છે કારણ કે જન્મ-મરણનો અંત છે. જ્યારે વિષપાન એ વિષયોના ખાનપાન છે કે જે વિષયસુખમાં ભય, ખેદ, ચિંતા, થાક છે અને અશુચિ તથા જનમમરણના ચકરાવારૂપ ભવભ્રમણ છે. વિષયમાં સુખબુદ્ધિ એ મિથ્યાત્વ છે કે જેનાથી ઘાતિકની પુષ્ટિ ને વૃદ્ધિ થતી હોય છે. વિષયસુખ ભવોભવના ભાવમરણ અને તેનાથી નિપજતા દ્રવ્યમરણનું કારણ હોવાથી તે વિષતુલ્ય છે માટે એ વિષપાન છે. તરસ ન આવે તો મરણજીવન તણો, સીજે જો દરિસણકાજ; દરિસણ દુરલભ સુલભ કૃપા થકી, આનંદઘન’ મહારાજ. અભિનં૦૬ પાઠાંતરે તરસનની જગાએ પાર, સીજેની જગાએ સીઝ, કાજની જગાએ કાજિ, સુલભની જગાએ તું જ અને દુરલભની જગાએ દુર્લભ છે. | શબ્દાર્થ જો આપના દરિસણ કરવાથી મારું દર્શનકાર્ય, સીજીસીઝી જાય એટલે કે સિદ્ધ થઈ જાય તો મારા મરણજીવન એટલે કે જન્મમરણના તરસ અર્થાત્ તરાસ-ત્રાસનો અંત આવે. પાર શબ્દના આધારે અર્થઘટન કરીએ તો જનમમરણનો અંત આવે. આમ તો દર્શને દુર્લભ છે પણ આનંદઘન, ચિદ્દન સ્વરૂપ રાજાધિરાજ-મહારાજ અભિનંદન જિનની કૃપાથી તે સુલભ છે. અથવા કૃતિના રચયિતા આનંદઘન મહારાજ માટે તો ઉપર જણાવ્યા મુજબ દર્શન થવા દુર્લભ છે પણ હે પ્રભુ અભિનંદન જિન ! આપની કૃપાથી મને તે સુલભ થશે ! લક્ષ્યાર્થ-વિવેચનઃ જો મારા જીવનકાળમાં જ મારું જીવનકાર્ય કે આત્માનું માહભ્ય સમાય તો જ પુરુષાર્થનો ખ્યાલ આવે અને પુરુષાર્થ થાય.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy