________________
(વિધિ-નિષેધમાં) યથાર્થ અવિરૂદ્ધ પરિણામ-પ્રવૃત્તિરૂપ આત્મપરિણામને, અધ્યાત્મ કહી શકાય.
૬) વર્તમાન વિશિષ્ટપર્યાયગ્રાહી સમભિરૂઢનયની અપેક્ષાએ ઉત્તરોત્તર ગુણસ્થાનક ક્રમારોહણ કરવા સ્વરૂપ આત્માના વિશુદ્ધ પરિણામને, અધ્યાત્મ જાણવું.
૭) સંપૂર્ણ અર્થક્રિયાકારિત્વનો સ્વીકાર કરનાર એવંભૂત નયની દૃષ્ટિએપોતાના પરમ શુદ્ધ ક્ષાયિક ભાવમાં પરિણામ પામવારૂપ આત્માના અનંત, અક્ષય, શુદ્ધ પરિણમનને અધ્યાત્મપરિણામ જાણવો.
પરિશિષ્ટમાં આપેલા બંને લેખોમાં મુખ્ય ફાળો જેમનો છે તેવા . સિદ્ધાંત પાક્ષિક શ્રી શાંતિલાલ કેશવલાલ તરફથી નયદષ્ટિ વિશે મને ઘણું જાણવા મળ્યું છે. અધ્યાત્મ સંબંધી જયોની વિચારણા જે લખી છે તેમાં . તેઓશ્રીનો જ મારા પર ઉપકાર છે.
અધ્યાત્મથી તરબતર આ ગ્રંથનું પરિશીલન આપણને ઉત્તરોત્તર વિશુદ્ધ : ભૂમિકાએ પહોંચાડવા સક્ષમ છે.
વાચકને ગ્રંથના અભ્યાસ દ્વારા પ્રતીત થશે કે સત્યના ગ્રાહી-ખોજી, ગુણાનુરાગી, શાસનપ્રેમી, નિઃસ્પૃહ, ચિંતનશીલ સાધક એવા લેખકશ્રીએ પૂ. આનંદઘનજી મહારાજના હાર્દને પામવા માટે અથાગ પુરુષાર્થ કર્યો છે.
ગ્રંથસર્જનમાં ઉત્તરસાધક બની રહેલા જ્ઞાનપ્રેમી શ્રી સૂર્યવદનભાઈના ઉપકારનું સ્મરણ અહીં અપ્રસ્તૂત નહીં ગણી શકાય.
પ્રાંતે પરમના પ્રસાદથી પ્રાપ્ત થયેલું પ્રસ્તુત પાથેય, સૌને અહોભાવથી શરૂ થતી યાત્રાને ધ્રુવપદરામીની મંજીલે પહોંચાડવા સમર્થ બને એ જ મંગલકામના !!!
જૈનમ્ જયતિ શાસનમ્
લિ. પ.પૂ.આ.દે. શ્રીમદ્વિજય અરિહંતસિદ્ધસૂરિના આશાવર્તી પ.પૂ.આ.દે. શ્રીમદ્વિજય હેમપ્રભસૂરિ મ.સા.ના નિશ્રાવર્તી પ.પૂ.શ્રી મયૂરકલાશ્રીજી મ.સા.ના શિષ્યા નંદીયશાશ્રી
મા.વ.૨, વિં.સં. ૨૦૬૪ બનાસકાંઠા જૈન યાત્રિકભુવન
પાલીતાણા, સૌરાષ્ટ્ર.