SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંભવનાથજી 102 ચરમ યથાપ્રવૃત્તકરણ - ગ્રંથિભેદ સુધી પહોંચવામાં કર્મલઘુતારૂપ કર્મના કારણની પ્રધાનતા છે. અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સમ્યકત્વની પ્રાપ્તિથી તે ઠેઠ કેવળજ્ઞાનના પ્રગટીકરણ સુધી પુરુષાર્થ-ઉદ્યમની પ્રધાનતા હોય છે. કેવળજ્ઞાનથી નિર્વાણ થતાં સુધીમાં પાછી ભવિતવ્યતા હોય છે. અંતે સિદ્ધત્વની પ્રાપ્તિમાં સ્વરૂપસ્થિતતા હોય છે. આ બધું પરિણમન થવાના ભવનની ભવ્યતા છે તે સ્વભાવ છે. એ સ્વનું સ્વમાં ભવન છે તેથી સ્વભાવ કહેવાય છે. ચરમ પુદ્ગલપરાવર્તકાળ પહેલાંના અચરમાવર્તકાળમાં જીવ ભવાભિનંદી હોય છે. ભવાભિનંદીપણામાં જીવ કોઈકવાર ધર્મ કરતો જણાતો હોય તો, તે પણ એ દેખાદેખી, ભૌતિક હેતુથી, લોકસંજ્ઞાએ, લૌકિક ધર્મ કરતો હોય છે, તેથી તેને લોકપંક્તિ કહેવામાં આવે છે, જે યોગાભાસ-યોગમાયા હોય છે. ચરમાવર્તકાળમાં આવેલા આત્મા નિયમો ભવિ એટલે કે ભવ્ય આત્મા હોય છે, જેનો મોડો-વહેલો મોક્ષ નિશ્ચિત હોય છે. . . ભવાભિનંદીતા એ આત્મવિમુખતા છે. અપુનબંધક અવસ્થા એ આત્માભિમુખતા છે અને સમ્યક્તાવસ્થા એ આત્મસન્મુખતા છે. ત્યારપછીની દેશવિરતિથી લઈ વીતરાગાવસ્થા એ પરમાત્મસ્વરૂપ પ્રતિ ગમનતા છે. આ વિષયમાં કાંઈક વિશેષ સ્પષ્ટતા માટે અત્રે પરિશિષ્ટમાં નિગોદથી નિર્વાણનો લેખ જોઈ જવા જિજ્ઞાસુ પાઠકને ભલામણ છે. પૂર્વગ્રહ આધારિત દર્શનથી જીવ વીતરાગતાથી દૂર જાય છે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy