SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ 87 , હૃદય નયન નિહાળે જગધણી $ સર્વ-દ્રવ્યો એના સર્વ-ભાવ સહિત પ્રતિબિંબિત થાય-ઝીલાય-જણાય દેખાય. માટીમાંથી એક કુંભનું-મટકાનું સર્જન કરવું હોય તો તેમાંય કેટકેટલાં કારણો, સંયોગો, સાધનસામગ્રી, પર્યાવરણીય અનુકૂળતા હાજર હોય છે, ત્યારે તેનું નિર્માણ થાય છે! યોગ્ય-સ્વભાવવાળું, યોગ્ય-દ્રવ્ય, કર્તા પ્રતિબંધક-તત્ત્વનો અભાવ, યોગ્ય-કાળ અને સીધી કે આડકતરી રીતે મદદકર્તા કુદરતી બાબતોનો સુમેળ મળે છે ત્યારે સુનિયોજીત સુંદર નિર્માણ થાય છે. " એવું જ આત્માના પરમાત્મસ્વરૂપે વિકસિત થવાની બાબતમાં છે; જેમાં અનેકાનેક કારણો, સાધનો, સંયોગો અને પરિબળો ભાગ ભજવતાં હોય છે. એ વિકાસની પીઠિકારૂપ પહેલી ભૂમિકા અત્રે અભય, અદ્વેષ, અખેદ બનવાની બતાડી રહ્યાં છે. એક જ્ઞાની પુરુષે કહ્યું છે કે મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા સાર. પાંચે ઈન્દ્રિયોના વિષયમાં મંદતા, સરળતાપૂર્વક પ્રભુ આજ્ઞાનુસાર તત્ત્વાર્થની સુવિચારણા અને કરુણા, કોમળતાદિ ગુણપ્રાપ્તિ એ પ્રથમ ભૂમિકા છે. રોક્યા શબ્દાદિ વિષય સંયમ સાધના રાગ, જગત ઈષ્ટ નહીં આત્મથી, મધ્યપાત્ર મહાભાગ્ય. શબ્દરૂપાદિ વિષયોનો નિરોધ કરી સંયમી થઈ સાધના માટેના જે રાગી છે-રૂચિવાળા છે અને જેમને આત્માથી અધિક જગતની કોઈ માગશે તેને મળશે, શોધશે તેને જડશે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy