SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી અજિતનાથજી શ્રી અજિતનાથજી 76 76 આગળનો પંથ નિહાળશું અર્થાત્ પંથ ઉપર ચાલીશ- માર્ગને આરાધીશસ્વરૂપકર્તા બનીશ. એ આસ્થા-શ્રદ્ધા (આશ)ને અવલંબીને એના જ આધારે એ જન એટલે કે એ સાધક મુમુક્ષુ જીવે છે અર્થાત્ એની સાધના જીવંત રહે છે એમ જિનજી-જિનેશ્વર ભગવંતોએ જણાવ્યું-ફરમાવ્યું છે. યોગીરાજ આનંદઘનજીએ તો પદ-૭માં “આશા મારી આસન ધરી ઘટમેં અજપાજાપ જગાવે” અને પદ-૨૮માં “આશા ઓરનકી ક્યા કીજે, જ્ઞાન સુધારસ પીજે” ના પદગાનથી આશા જે અભિલાષા-ઈચ્છાના અર્થમાં છે, તેના અવલંબનને અવગણવા જણાવ્યું છે. જ્યારે અહીં “આશા અવલંબ” શબ્દપ્રયોગ દ્વારા આશાના અર્થમાં આસ્થા-શ્રદ્ધાઆત્મવિશ્વાસ રાખી કાળલબ્ધિ આવીને ઊભી જ રહેશે એ દૃઢનિર્ધારથી પુરુષાર્થ જારી રાખવા જણાવ્યું છે. આનંદઘનનો મત - અભિપ્રાય એવો છે કે “ઉતાવળે આંબા પાકે નહિ.” કહેવત એવી છે કે “બાપ આંબો વાવે અને દીકરો એના ફળ મેળવે.” આંબો વાવ્યા-રોપ્યા બાદ વીસ વર્ષે ફળ આપતો થાય છે. ગર્ભ રહ્યાં પછી શિશુજન્મ, નવ મહિના વીતેથી થતો હોય છે. એમ કાળલબ્ધિ લહી આનંદઘન સ્વરૂપ-પરમાત્મસ્વરૂપ પ્રાગટ્ય માટે પણ અધ્યાત્મક્ષેત્રે શ્રદ્ધા અને સબુરીની આવશ્યકતા રહે છે. હતાશ નિરાશ થઈ “આનંદઘન મત’ – પરમાત્મપથને અંબ એટલે કે આંબવા-નિરોધવા જેવો નથી પણ શ્રદ્ધા રાખી ધીરજપૂર્વક ખંતથી જે કાળ પકવવાનો પુરુષાર્થ કરતો રહે છે તે જણ(જન)ને જિનજીએ જીવંત “જાણ્યો છે. બાકી તો સંસારમાં રઝળપાટ કરતાં મરણને જ શરણ થવાનું છે. કાળલબ્ધિ પરિપાક થવામાં આવશ્યક પુરુષાર્થને પણ જિનેશ્વર ભગવંતોએ એમનાં કેવળજ્ઞાનમાં જોયો ને જામ્યો છે. અંતર્મુખવૃત્તિ અને અસંગપણું સાઘુતાના પ્રાણ છે. ક્રિયાકાંડ અને બાહ્યાચાર એ યાત્રિનું બહારનું ખોખું છે. ગુપ્તિ અને આંતરજાગૃતિ એના પ્રાણ છે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy