SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ 61 હૃદય નયન નિહાળે જગધણી 5 “કમઠે ધરશેંદ્ર ચ, સ્વોચિત કર્મ કુર્વતિ; પ્રભુસ્તુલ્ય-મનોવૃત્તિઃ, પાર્શ્વનાથઃ શ્રિયેઽસ્તુ વઃ'’ પક્ષાપક્ષીથી પર નહિ થનારા અને વાદ-વિવાદ કરી ઝઘડનારાઓની ઠેકડી ઉડાવતા કચ્છના એક ભક્તકવિ પણ કહે છે... “ભક્તિ તણો જેને ભેદ ના લાધ્યો રે, મેલે ઢૂંસાની પરાન; વાદ વદીને રે, કાઢે છે હડાહડી, આ રંગ શેનો રે, બીબે બીજી ભાત પડી’’ કચ્છી કવિ કહે છે કે દાણા ઉપરના ઢૂંસા એટલે કે ફોતરામાંથી દોરડું બનાવી શકાતું નથી પરંતુ રેસામાંથી જ દોરડું બનાવી શકાય છે. જેને ભક્તિનો ભેખ લાધ્યો નથી તેવા જ વાદની હોડ બકે છે. એ કાંઈ ભક્તિનો રંગ નથી. આ તો આત્મબિંબ ઉપર પરબિંબની–પ્રતિબિંબની ભાત ઉપસાવી કાબરચીતરા બનવા જેવું થાય છે. જે વાદમાં નિખાલસતા, નિરાગ્રહતા, નિર્બંધનતા, વિશાળતા, વીતરાગતા અને સ્યાદ્વાદતા નથી તે, વિવાદ, વિખવાદ, વૈમનસ્યમાં પરિણમે છે. એ એક પ્રકારની શાબ્દિક-વાચિક હિંસા જ છે. હિંસાથી નિર્દેદ્ર નથી થવાતું. હિંસા તો દ્વંદ્વ-યુદ્ધમાં જ પરિણમતી હોય છે. તર્કમાં તો તાણાતાણી-ખેંચાતાણી ગજગ્રાહ જ હોય છે. એ તાણાતાણીમાં તો ખેંચાઈ ખેંચાઈને તૂટી જવાતું હોય છે. તેથી જ મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજા જ્ઞાનસારમાં કહે છે... "वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा । तत्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ।।'' પરક્ષેત્રે જ્ઞાન જાણે અને સ્વ ક્ષેત્રે વેદે. જ્ઞાન જાણે તે પણ પાછું અપ્રયાસ-સહજપણે જાણે, સ્વાધીનપણે જાણે, વીતરણ-અવિકારી ભાવે જાણે, અક્રમથી પૂર્ણપણે જાણે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy