SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ 1787 ૩૮ : તીર્થંકરોને પૂજ્ય, આજ્ઞાયુક્ત સંઘ - 118 ૧૯૯ ‘એને માટે પાપ વિચાર પણ ન થાય તો ક્રિયાની તો વાત જ શી ?' સાવધના અર્થને સમજાવતાં મહાત્મા કહે છે કે, દ્રવ્યપ્રાપ્તિ, પુત્રપ્રાપ્તિ વગેરેની ક્રિયા, તેના વિચાર એ તમામ સાવઘ. શ્રાવકોની વસંત વધારવા માટે વાંઢા તથા વિધવાને પરસ્પર યોજવાની ભાવના એ ઉપકાર ભાવના છે ? કોઈ કહે કે, સંઘ સા૨ો તો અમે પણ સારા. એ વાત કબૂલ. ‘સંઘ સારો તો અમે સારા’ એ વાત ઠીક છે. પણ એમાં સાવધ ક્યાંથી આવ્યું ? આ બધું પૂજ્ય આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજા ફરમાવે છે. તેઓ સોળમી સદીમાં થયા હતા. શાસનના પરમ પ્રભાવક હતા અને રોજના એક હજાર શ્લોક મોઢે કરતા હતા. આજના ભણેલાઓ તો કહી દેશે કે, આ વીસમી સદીમાં એ સોળમી સદીનાઓની વાતો ન ચાલે.’ સોનાની છરી પેટમાં ન ખોસાયઃ ‘સંઘની શોભામાં અમારી શોભા' એ વાતનો ઇન્કાર નથી, પણ એમાં સાવઘ ક્યાંથી આવ્યું ? એ વાતનો વિશેષ ખુલાસો આપતાં આ મહાત્મા સમજાવે છે કે, ‘સોનાની છરી પેટમાં ન ખોસાય.' લોઢાની છરી પ્રાણ લે અને સોનાની છરી પ્રાણ ન લે એવું નથી. સંઘ એ સોનાના સ્થાને છે, એને માટે પાપની ચિંતા એ છરીના સ્થાને છે અને મુનિનું સંયમ એ પ્રાણના સ્થાને છે. સંઘરૂપ સોનું, એના માટે પાપની ચિંતારૂપ છરીનો મુનિ જો ઉપયોગ કરે તો એના સંયમરૂપી પ્રાણનો નાશ થાય. આપણે અત્યાર સુધી જે જે વાતો કરી છે. એનાં આ પ્રમાણો અને નિષ્કર્ષ છે. સંઘ માટે પણ મુનિથી સાવદ્ય ચિંતા ન થાય. શ્રાવકો માટે બે વાત રાખી. સુપાત્રે ભક્તિ અને કુપાત્રે અનુકંપા. સંઘની વૃદ્ધિ શી અને હાનિ શી એ નક્કી કરો. ઘરનું બોલવું હોય તેને બધા વાંધા : ઘરનું બોલનારાને બધા વાંધા આવે છે. એવાઓ કદી સીધું ન બોલી શકે. બોલવા માંડે ત્યારે શાસ્ત્ર વહે એક તરફ તો પોતે વહે બીજી તરફ, સારા વક્તાઓ જ્યારે માર્ગમાં હતા ત્યારે વક્તૃત્વ માટે વખણાતા હતા. આજે જ્યારે માર્ગથી ખસ્યા ત્યારે કોઈને તેમની કિંમત ન રહી. આગમાનુસાર બોલનારને કદી વાંધો ન આવે, એને કદી વિચાર કરવો ન પડે, કેમ કે જે છે તે આપવું છે. જેની પાસે નથી તે હવામાં બાચકાં ભરે. પણ હાથમાં આવે શું ? ચૌદ પૂર્વી જિંદગીભર અખંડ બોલે તોય આગમના બિંદુ જેટલું થાય. ક્રોડ પૂર્વનું આયુષ્ય હોય, મહાજ્ઞાની હોય, ચૌદ પૂર્વના જાણ હોય અને જિંદગીભર બોલે તોય આગમ પૂરું ન થાય. સ્વયંભૂરમણ સમુદ્ર પાસે બિંદુ તુલ્ય બોલાય. એક સૂત્રના અનંતા અર્થ છે. તિર્કાલોકના તમામ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy