SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૭ : જૈનાચાર્યોનું કર્તવ્ય અને જૈનશાસનની મર્યાદા - 117- ૫૭૯ વિદ્યાર્થી નિશાળે જવામાં આડોડાઈ કરે એ બને પણ ‘નિશાળે કેમ જવું ?' એવું એણે કદી પૂછ્યું ? યોગ્યતાનું માપ કાઢવાની દૃષ્ટિ અહીં જુદી છે. તમે જેને ભણેલા માનો એને સાધુ મૂર્ખ માને અને તમે જેને અભણ માનો એના આધારે શાસન નભે એમ મુનિ માને, એટલો બધો બંનેના માપ વચ્ચે ભેદ છે. શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે જ સાચું એવું જે માને તે આ શાસનમાં યોગ્ય છે. ભગવાને પાણીમાં અસંખ્યાતા જીવ કહ્યા માટે શ્રદ્ધાળુ એ માને જ. ત્યાં પાપ માનીને એ ઊભો રહે. આજનો વિજ્ઞાનવાદી અખતરા વિના એ માનવા તૈયાર નહિ થાય. આત્માનું અસ્તિત્વ ભગવાનના કહેવાથી આજનો વિજ્ઞાનવાદી માને ? એ તો આત્મા નીકળી ગયા પછી શરીરને તોળે અને વજન ઓછું ન થાય તો આત્માની વાતને ગપ્પુ માને. એ બુદ્ધિવાદીઓની જીભ બધી રીતે બોલી શકે છે. એ કહી દે કે ભગવાનના વખતમાં કંદમૂળમાં અનંતા જીવ હશે તે એમણે જોયા હશે. પણ આજે છે એની શી ખાતરીં ? એ લોકો કહે છે કે ‘વિજ્ઞાનની આટલી શોધો તે વખતે ક્યાં હતી ? જો પૂર્વના એ લોકો વિદ્વાન હોત તો આવી શોધો બહાર પાડી ન હોત ?' શાસ્ત્ર કહે છે કે એ સાચા વિદ્વાન હતા માટે જ એમણે આવી શોધો બહાર ન મૂકી; આજનાઓ મૂર્ખ છે માટે બહાર મૂકી દુનિયાને પાયમાલીના પંથે ચઢાવે છે. તમારી અમારી દૃષ્ટિના મેળ નહિ મળવાના. અમે તમારા જેવા થઈએ તો એ મેળ મળે. પણ એવી રીતે મેળ મેળવવા ઇચ્છો છો ? હું કહું છું કે મહેરબાની કરીને, ભલા થઈને એવું ન ઇચ્છતા. ધર્મ-અધર્મના ભેદ સમજાય તો આજ઼ના વિજ્ઞાનવાદીઓના અખતરાનો ખતરો સમજાય. ત્યાજ્યના નાશનો સિદ્ધાંત ન હોયઃ 1767 ત્યાજ્યના ત્યાગમાં ધર્મ છે. પણ એના સંહારમાં ધર્મ નથી. ત્યાજ્ય છે માટે એની કતલ ચલાવવામાં આવે તો ધર્મ તો રહી જાય અને અધર્મ પલ્લે પડી જાય. જ્ઞાનીએ મા-બાપ, કુટુંબ, પરિવાર વગેરેને પણ ત્યાજ્ય કહ્યાં છે તો શું ત્યાં એમના પર તલવાર ફેરવાય ? ના. એવી મૂર્ખતા નહિ કરતા. ત્યાજ્યનો ત્યાગ એ ધર્મ છે, એનો સંહાર એ ધર્મ નથી, પણ અધર્મ છે. સ્ત્રીને જોઈને પોતાની આંખમાં વિકાર જાગે માટે એની હત્યા ન કરાય. એવું વિચારનારા પણ મૂર્ખ છે. વિકારી પોતાની આંખ અને હત્યા સ્ત્રીની ? પોતાના પ્રમાદથી સાપ કરડે માટે સાપને મા૨વાનું કહેવાય ? લોકોને આંખેથી જોઈને સાવધાનીપૂર્વક ચાલવાનું સમજાવાય. પણ જેટલા ઝેરી જંતુ દેખાય તેટલાને મારી નાંખવાનું સમજાવાય ? એ ક્યાંનો ન્યાય ? જો ત્યાજ્યના નાશનો સિદ્ધાંત માન્યો તો અહિંસા બોલવામાં રહેશે, હૈયે નહિ રહે.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy