SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Tળો તિરસ નમો તિર્થીક્સ - પદ દ્વારા જગદુદ્ધારક, ત્રિલોકવંદ્ય, જગદગુરુ અરિહંતો પણ જેને નમસ્કાર કરે છે, તે શ્રીસંઘ કેવો મહાન, મહનીય, સ્તવનીય, સ્પૃહણીય, આદરણીય હોય તે સમજાય તેવી વાત છે. આજ સુધીમાં થયેલા અનેક મહાપુરુષોએ અનેક ગ્રંથોમાં શ્રીસંઘની અન્વય/વ્યતિરેકથી અનેક પ્રકારે સ્તવનાઓ કરી છે. આ એ જ પરંપરાને અનુસરીને જૈન શાસનના . મહાન જ્યોતિર્ધર, દીર્ઘદર્શી, અમૂઢલક્ષી, સકળ સંઘ તાત્ત્વિક હિતચિંતક, પરમારાથ્યપાદ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાના “રામવિજયજી” તરીકેના પર્યાયમાં મુખ્યપણે શ્રી નંદીસૂત્ર અને અંતે શ્રી સંબોધ પ્રકરણનું અવલંબન લઈને વર્તમાન કાળના સંદર્ભમાં શ્રીસંઘના સ્વરૂપ અને કર્તવ્યનું યથાર્થ દર્શન કરાવી “માTIનુત્તો સંયો”ના શરણે રહીને ‘સેસો પુ સિંધામો'થી દૂર રહેવાનું ઉત્તમ માર્ગદર્શન આપ્યું છે. - વિ.સં. ૨૦૩૯ની આસપાસ જ્યારે એ પ્રવચનોના સંપાદનની જવાબદારી મારા શીરે આવી, ત્યારે તો એક જ મન:કામના હતી કે, ૧૧૮ પ્રવચનો સુધી લંબાતી આ પ્રવચન શ્રેણીનું સદ્ય સંપાદન કરી પૂજ્યશ્રીના કરકમળમાં તેને સમર્પિત કરી શકીશ. પરંતુ ભવિતવ્યતાને કાંઈક જુદું જ મંજુર હશે. જેથી પૂજ્યશ્રીની વિદ્યમાનતામાં માત્ર ચાર ભાગમાં ૯૭ સુધીનાં પ્રવચનો તૈયાર થઈ શક્યાં. અને ચાર ભાગરૂપે છપાઈ બહાર પડ્યાં. પૂજ્યશ્રીની વિદાયને બે વર્ષ જેવો કાળ વીત્યા પછી પણ તે પ્રવચન માળાને
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy