________________
૪૦ : મુક્તિ માટે જીવનનો સટ્ટો ઃ - 80
ભેગા થઈ કહે છે કે ‘રાણી વગર ન ચાલે. રાજસિંહાસન રાણી વગર ન શોભે, રાજ્યની મંગલ યિાઓ રાણી વગર ન થાય.’ ત્યારે કુમા૨પાલે કહ્યું કે-એ હવે ન બને. ન ચાલે તો ભોપલદેવીની સોનાની મૂર્તિને સિંહાસને બેસાડો અને રાજ્યનાં કામ ચલાવો. બાકી રાજ્ય ગૌણ છે. ધર્મ મુખ્ય છે. મારો ધર્મ સચવાવો જ જોઈએ.
1185
૭૧૫
આવા નિયમો કરવાની ભાવના તો પુણ્યવાનને જ થાય. મહર્ષિઓના અભિગ્રહ મહર્ષિઓ જ કરે.
આવેશથી પણ ધર્મ કોણ કરી શકે ?
સભા : ‘આવેશથી નિયમ કરી નાખે તો ?'
અરે ! આવેશ પણ છે ક્યાં ? કજિયો થાય ત્યારે બાઈ કૂવે પડવાની ધમકી આપીને ઘરની બહાર જાય. પાંર્ચ-પચીસ કદમ ગયા પછી જુએ કે ધણી પાછળ નથી આવતો એટલે આવેશ ઓગળી જાય ને તરત પાછી ફરે. સાચા આવેશ પણ કોને આવે ? બધાને ન આવે. બાપ ધોલ મારે ત્યારે ગુસ્સો આવે પણ પછી ‘આવ ભાઈ !’ કહે એટલે તરત નરમ પડી જાય ને સામે જાય. બેયના ગુસ્સા ક્યાં ગયા ? વિષયવાસનાના ગુલામોને આવેશ પણ નથી આવતા. આવેશમાં સત્ત્વ જોઈએ નાનું બાળક ગુસ્સાથી લપડાક મારે પણ એના આંગળાં ન ઊઠે. નાના બાળકની લાત માતા ખાય છે; કેમ ? એમાં વાગે શું ? દાંત આવ્યા પછી માતા બાળકને સ્તનપાન નથી કરાવતી. કદી કોઈ બાળક ટેવ ન છોડે ત્યાં કડવાશ લગાડીને પણ એ પણ એ ટેવ છોડાવે. કેમકે સ્તનપાન કરવાની મર્યાદા પૂરી થઈ.
હું રોજ દીક્ષાની વાત કરું છું પણ કોઈ ઊભો થયો ? શાનો થાય ? આવેશથી કોઈ દીક્ષા નથી લઈ લેતું. આવેશથી દીક્ષા લેવા આવના૨ને તો અમે એક સેકંડમાં પારખી લઈએ. એવી વાત કરીએ કે -મારાથી એ ન બને' એમ કહીને ચાલવા જ માંડે. સાચા આવેશનો આધાર પણ શક્તિ પર છે. આવેશ પણ શક્તિ અને ભાવનાને અનુરૂપ હોય છે. શ્રી જિનેશ્વરદેવના અભિગ્રહો ઘણાય આચાર્યોએ સાંભળ્યા પણ કરવાનું મન કેટલાને થયું ? ગૌતમ મહારાજાએ પણ ક્યું કે ‘એ તો એ જ પાળે.’ દુનિયામાં પણ કહેવત છે કે બળિયા સામે બાથ ન ભિડાય. ભીડવા જાય તે મરે. કદાપિ મરે નહિ તો માંદો થાય. શ્રી જિનેશ્વરદેવની વાત જવા દો. એમની આજ્ઞા પળાય તોયે વાહ વાહ ! અરે પાળવાની વાત દૂર રહી પણ આજ્ઞાથી વિરુદ્ધ ન વર્તાય તોયે