________________
1165 – ૩૯ : સેવા વિનશ્વરની કે અવિનશ્વરની ? - 79 - ૫૯૫ જનારા બહાર આવી ફરિયાદ કરે છે કે “પૈસા ગયા. ભંગાર જેવી ચહા અને વાસી ઠેકાણા વગરનું ભોજન હતું.” બોર્ડ તો મૂર્ખાઓને ઠગવા માટે જ લગાડ્યાં હોય છે.
એક વૈદ્યને કોઈએ પૂછ્યું કે એક મામૂલી દવાની આટલી બધી જાહેરાત પેપરોમાં કેમ આપો છો ? વૈદ્યરાજ કહે-એ જાહેરાતથી જ મારો ધંધો ચાલે છે. આ દેશની ક્રેડોની વસતિમાં લાખ બે લાખ મૂખ ન મળે ? એ મળે એટલે જાહેરાતના પૈસા વસૂલ. જાહેરાત કરતાં ન આવડી એવા કીમતી દવા બનાવનારા વૈદ્યો એવા ને એવા રહ્યા અને પૈસાની ગોળી બનાવી રૂપિયો લેનારો હું આ જાહેરાતના પ્રતાપે માલદાર બની ગયો.
એવા મૂર્ખ ઘણા છે કે જે ઊઠીને દાતણ કર્યા પહેલાં ભગવાનનું નામ નથી લેતા પણ પહેલાં છાપું હાથમાં લે છે. એ શાસ્ત્રની વાતને હંબગ માને અને છાપાની વાતને બ્રહ્મવાક્ય માને. ત્યાગીઓની વાતને હંબગ માને ને વેપાર કરવા બેઠેલા છાપાવાળાઓની વાતને સાચી માને, એ મૂર્ખ નથી ? આવા મૂર્નાની સંખ્યા આજે ઓછી નથી. એટલે બર્ડોએ તો કંઈક ડાહ્યાને મૂર્ખ બનાવ્યા છે. બોર્ડો તો ધર્મીઓનાં ખિસ્સાં કાણાં કરવા પણ લગાડાય છે. ભોળા ધર્મીઓ ધર્મના નામે તરત પૈસા કાઢે છે. બાકી તો વ્યાયામ અને કૂદાકૂદ કરનારો દ્િવ-ગુરુ-ધર્મની રક્ષાના પ્રસંગે ક્યાં ખોવાઈ ગયા એનો પત્તો નથી. નબળાને મારે ને સબળાથી ભાગે એવા એ મગતરાંને ચોળી નાખનારા તીસમારખાં' જેવા હોય છે એવાઓને મદદ ન કરાય ?
એક મિયાં હતા. ગોળની બરણી ઉપર માખીઓ બણબણતી હતી. મિયાંએ મૂઠીમાં ઝપટ મારી માખીઓ પકડી મસળી નાખી અને પછી ગણી તો ત્રીસ થઈ. મીયાં બોલી ઊઠ્યા કે મેં એકલાએ ત્રીસ માખી મારી માટે મારું નામ તીસમારખાં. ઘેર આવી બીબીને પણ બહાદુરી બતાવતાં કહ્યું કે “અબે બીબી ! મેરા નામ તીસમારખાં કહીયો. મૈંને અકેલેને ત્રીસ મમ્મી મારા.” બીબી કહે “ચૂપ રહો-નહિ તો કોઈ ગમાર કહેશે.” એવા એ બધા તીસમારખાં નબળા પર કૂદે. બાકી “અહીં આવ” એમ કહેનારથી તો દૂર ભાગે એવા છે.
દેવ-ગુરુ-ધર્મ માટે અમે અખાડામાં ખેલકૂદ કરીએ છીએ' એમ કહેનારા આચારમાં કેવા હોય ? એ ધ્યેયવાળા આવા સ્વચ્છંદી કદી હોય ખરા ? એ દેવવંદન, ગુરુવંદન, વ્યાખ્યાન શ્રવણ ન કરે ? ધર્મનાં ફરમાન ન માને ? આ બધું હંબગ છે એવું બોલે ? દેવ-ગુરુ માટે શું બોલાય, શું ન બોલાય એ ન