________________
૩૫ અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ, ત્યાગ નથીઃ
75 વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૭, મહા વદ-૧૪, ગુરુવાર, તા. ૨૭-૨-૧૯૩૦
• ધર્મ કોને કહેવાય ? • તે બધા ભાટ કહેવાય ? • ધર્મના પ્રકાર : • સંઘત્વ વિશિષ્ટ સંઘ : . • એવાં ટોળાં સંઘમાં ન ચાલે : • છતા પરલોકમાં શંકા કેમ ?
એવા ગરુને વોસીરાવી દેજો ! ધર્મ શા માટે અને ધર્મનું મુખ્ય તથા ગૌણ ફળ કયું ?
એકલી ક્રિયાથી લાભ કોને ? • આવાઓને વ્યાખ્યાન ફળે ?"
ધર્મ કરવાની જવાબદારી છે . * • સંસારની ભયંકરતા કઈ રીતે વિચારશો? • ધર્મમાં સર્વત્ર ત્યાગ : • ત્યાગ, ત્યાગ ને ત્યાંગ : --- ૦ –એવો ત્યાગ એ ત્યાગ નંથી :
ધર્મ કોને કહેવાય ?
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર શ્રી સંઘમેરૂની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમય પીઠની દૃઢતા, રૂઢતા, ગાઢતા અને અવગાઢતાનું વર્ણન કર્યા પછી હવે રત્નમંડિત સુવર્ણમેખલા, જેમ મેરૂને છે તેમ, શ્રી સંઘની શ્રેષ્ઠ ધર્મરૂપ રત્નોથી મંડિત સુવર્ણમેખલાનું વર્ણન કરે છે.
શ્રી સમ્યગ્દર્શનરૂપ પીઠને દૃઢ બનાવવા માટે શંકાદિ પાંચેય દોષો. ન જોઈએ. પાંચેય દોષોના પરિત્યાગથી સમ્યગ્દર્શનરૂપ પીઠ દૃઢ બને. સમયે સમયે વિશુદ્ધ બનતી પરિણામની ધારાવાળા પ્રશસ્ત અધ્યવસાયોમાં વર્તવાથી એ દૃઢ પીઠ રૂઢ બને. તત્ત્વની રુચિની તીવ્રતાથી એ ગાઢ બને અને જીવાદિ તત્ત્વોનો સમ્યક્ પ્રકારે બોધ મેળવવાથી એ પીઠ અવગાઢ બને.