________________
1087
- ૩૪ ધર્મોપદેશકો ભાટ જેવા બને છે, ત્યારે !- 74
-
૫૧૭
ખામી દર્શાવવાની ખૂબી :
કોઈ પૂજા કરતો હોય અને તેમાં અવિધિ દેખાય તો તેને એમ કહેવાય કે ભાગ્યવાન ! તું પુણ્યશાળી છો કે પ્રભુની પૂજા કરે છે, બે કલાક એ માટે કાઢે છે; પણ તારે આટલો સુધારો કરવા યોગ્ય છે ! પણ, “કરી હવે પૂજા !” એમ કહેવાય ? કોઈ વ્યાખ્યાન સાંભળનારમાં ખામી દેખાય તો એમ કહેવાય કે ‘ભાગ્યવાન ! અહોભાગ્ય છે આપનું કે નિરંતર શ્રી જિનેશ્વરદેવની વાણી સાંભળો છો, માટે જ આપનામાં આ ન ઘટે' પણ “સાંભળ્યું, સાંભળ્યું એણે વ્યાખ્યાન !” એમ કહેવાય ? એવું બોલનારા વસ્તુના પ્રેમી નથી પણ ખરેખર તો વસ્તુના વિરોધી છે; એટલે જ તેઓ એમ બોલનારા છે.
સભા: “એમની પાસે દલીલ નથી.”
આજની નહિ, જન્મથી નથી. પણ જડબાતોડ જવાબો અપાતા હોય તો એ વહેલા બોલતા બંધ થઈ ગયા હોત. લત્તે લત્તે, શેરીએ શેરીએ એક એક આવા જવાબો આપનારા આપણે ઊભા કરવા છે. એ સાંભળી પેલાને બોલતા બંધ જ થઈ જવું પડે-સંસારને અસાર તથા સંયમને સુંદર માનનારો અને એકાંત સુખ મુક્તિમાં જ માનનારો ઘર દીઠ એક તો જોઈએ જ. એ ફોજ ઊભી કરવાની છે. એ કહી જ દે કે સંસારની અસારતામાં શંકા શી ? પ્રત્યક્ષ છે. સંયમની સુંદરતામાં બે મત હોય જ નહિ; અને સુખ તો મુક્તિમાં જ નિશ્ચિત છે, એમાં ચર્ચાને અવકાશ જ નથી. ભાટ બનેલાં સાધુઓ રોટલા માટે સાધુતાનું લિલામ કરે છે?
આ મહાત્મા કહે છે કે આ દૂષમકાળમાં ગુરુ ભાટ થયા. હું તો સંભાળી સંભાળીને બોલું છું પણ આ મહાત્મા તો બહુ કડક કહે છે. હું કડક નથી કહેતો કારણ કે સાંભળવાની તમારામાં તાકાત નથી આવી પણ આ મહાત્માએ તો પૂરું જ કહી નાખ્યું છે. એ કહે છે કે એવા ભાટ થયેલા ગુરુઓ શ્રાવકની સ્તુતિ કરી દાનાદિક લે છે. જૈનશાસનમાં સાધુઓને મુવાલાથી મુધાનીવી કહ્યા છે. જેના સાધુની ધર્મદેશના પણ પીગલિક સ્વાર્થ વિનાની હોય. સાધુ અન્નાદિક લે ત્યાં પણ ધર્મલાભ જ આપે. કચ્યું હોય તો લે. પેલો ન આપે અગર ન મળે તો જે મુદ્રાએ ત્યાં પેઠો હોય તે જ મુદ્રાએ પાછા નીકળી જાય. પણ ત્યાં પેલાનાં વખાણ કરવા ન બેસે.
ભાટ સાધુઓ સાધુપણાને કલંક લગાડે છે. સ્તુતિ ઇચ્છનારા શ્રાવકો પોતાના શ્રાવકપણાનું લિલામ કરે છે. એવા સાધુઓ શ્રાવકને તેની ભૂલ ન