SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૭ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – 1066 એમની દૃષ્ટિ ધર્માદા ટ્રસ્ટ ઉપર ગઈ છે. દ્રવદ્રવ્યના ભંડાર હવે એમની નજરે ચડ્યા છે. - આજે ધાર્મિક સંસ્થાઓનો વહીવટ કરનારાઓમાં પણ સાચા શ્રદ્ધાળુ કેટલા ? દેવ-ગુરુને નમનારા કેટલા ? જેઓને દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે શ્રદ્ધા નથી એમને દેરાસરનો વહીવટ ચલાવવાનો, દેરાસરની માલિકીની વાતો કરવાનો હક્ક ક્યાં છે ? કંપનીમાં ભાગીદાર કોણ રહી શકે ? નફા તથા તોટામાં-બેયમાં ઊભો રહે છે. જેને પેઢીનું હિત હૈયે હોય તે પેઢીનો ભાગીઓ. પોતાના ઘરના કાઢીને પણ પેઢીની આબરૂ બચાવનારા વહિવટ કરવાનો હક્ક ધરાવે છે. દેવદ્રવ્યને વધારનારા, એનું રક્ષણ કરનારા મંદિરનો વહિવટ કરે કે દેવદ્રવ્યને ખાઈ જવાની ઇચ્છાવાળા એનો વહિવટ કરે ? દેરાસર વગેરેના વહિવટેમાં હિસ્સો બધા જૈનોનો છે. નાનું બાળક પૂછવાને હક્કદાર છે. પણ એમની ભાવના એના રક્ષણની અને એની વૃદ્ધિની જોઈએ. અને સાચવવા તન-મન-ધનનો ભોગ આપનારા એ હોવા જોઈએ. ખાઈ જવાની વૃત્તિવાળાને કશો હક નથી. હવે સમય એવો આવ્યો છે કે આને માટે કેસો લડવા પડશે. સ્ટેટમેંટો રજૂ કરવા પડશે. હૃદયપૂર્વક કબૂલાતો કરાવવી પડશે. વહિવટ કરનારને જેનો વહિવટ કરવા માગે છે તેની પૂજ્યતા માન્ય છે ? તેનાં ફરમાન માન્ય છે ? એમ પૂછવું પડશે. જે આગમમાં દેવદ્રવ્યનાં વિધાન છે તે આગમ તેને માન્ય છે કે નહિ, એ નક્કી કરવું પડશે. વહિવટ, જેની પેઢી તેની આજ્ઞા મુજબ ચાલે, મુનીમની મરજી મુજબ ન ચાલે. માલિક કહે કે મારે તો જૂના આસામી સાથે વ્યવહાર સાચવવાનો છે તો મુનીમે સાચવવો જ પડે. જે સ્થાનનો જે વહીવટ કરવા માગે ત્યાંના કાનૂન મુજબ એને ચાલવું પડે. ઉપાશ્રયમાં શાની મીટિંગ બોલાવાય એ ઉપાશ્રયનો વહિવટ કરનાર ધ્યાન ન રાખે ? જગ્યા ખાલી છે માટે વેપારની કે વ્યવહારની મીટિંગો ત્યાં બોલાવે એવા વહિવટદારો વહિવટ કરવા માટે લાયક નથી. તેમનું એ કાર્ય ગેરકાનૂની છે. એની સામે ન્યાય માગવામાં આવે તો રાજ્યસત્તા પણ બરાબર ન્યાય આપે. રાજ્યસત્તાને બરાબર વાત સમજાવવામાં આવે તો એવાઓ કદી ન ફાવે. ઉપાશ્રયમાં ભોજનાલય કરવાની રાજસત્તા જ ના પાડે. ટ્રસ્ટડીડ માંગે અને મકાન શા માટે બંધાયું, બંધાવનારનો ઉદ્દેશ શો હતો, એ બધું પૂછે. અમુક હેતુ માટે જ એ બંધાયું છે એવું પુરવાર થાય તો ખાલી રહે એ બને પણ એનો બીજો ઉપયોગ તો રાજસત્તા પણ ન થવા દે. મંદિર ખાતાની લક્ષ્મી તિજોરીમાં રડી રહે
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy