SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૧ પણ નિગ્રંથતા ન જોઈએ, ધર્મ સર્વજ્ઞનો પણ એની આજ્ઞાનો વિચાર ન જોઈએ. આ ચાલે ? આવું હોય ત્યાં સમ્યક્ત્વ હોય ? જેને જેને વીતરાગ દેવ જોઈએ તેને તેને વીતરાગતાની ઇચ્છા જોઈએ જ, નિગ્રંથ જોઈએ તેણે નિગ્રંથતાની ભાવના કેળવવી જ પડે. એ બેની આજ્ઞામાં ધર્મ માન્યા પછી આજ્ઞાપાલનની ભાવના રાખવી જ જોઈએ. હવે કહો ! વીતરાગ દેવ, નિગ્રંથ ગુરુ અને કેવલીભાષિત ધર્મ માને તેને સંસાર ગમે ? એની એ જ વાત આવીને ? 1021 ૩૦ : સર્વત્ર ત્યાગની જ વાત - 70 ૩૦ . જ્યાં જુઓ ત્યાં બધે જ ત્યાગની વાત : પલંગમાં ગમે તે રીતે સૂઓ, આડા સૂઓ કે ઊભા સૂઓ, માથું આ તરફ રાખો કે તે તરફ રાખો પણ શરીરનો મધ્ય ભાગ તો મધ્યમાં જ આવવાનો. આ શાસ્ત્રની પણ ગમે તે વાત વિચારો, જીવતત્ત્વ કે અજીવ તત્ત્વ વિચારો, પુણ્ય કે પાપની વિચારણા કરો, આશ્રવ-સંવર વિચારો કે બંધ-નિર્જરા વિચારો, યાવત્ મુક્તિ વિચારો પણ વાત ત્યાગની જ આવવાની. આચારાંગ વાંચો, ઠાણાંગ વાંચો કે ભગવતીજી વાંચો પણ આવે તો એ જ ને ? કર્મગ્રંથ વાંચો કે જીવવિચાર વાંચો પણ આ સિવાય કંઈ આવે ખરું ? ઋષભદેવસ્વામી ચરિત્ર વાંચો કે શાલિભદ્રજીની કથા વાંચો પણ ત્યાંયે આવે તો ત્યાગ જ . તમે માગો તે એમાં આવે ? અર્થ-કામની વાત એમાં આવે ? શ્રી વીતરાગદેવની વાણીમાંથી કે સાધુની દેશનામાંથી આ સિવાય બીજું નીકળે શું ? ' - સભા : ‘બીજું કાઢવું હોય તે કઢાય ખરું ને ?’ કઢાય જ નહિ. પણ ઘી આપીએ તો ઘી લઈને પણ પાણીએ ધોઈને ઝેર બનાવનારા છે ને ? તેને શું કરીએ ? ઘી તો પોષક છે પણ મૂર્ખા દુરુપયોગ કરે તેનો ઉપાય શો ? ‘સાધુથી આમ ન થાય’-એટલી સામાન્ય વાત કરી તે પણ કેમ ખટકી ? સારી વાત પણ ઊંધી પરિણમે ત્યાં ઉપાય શો ? આ વાત બરાબર સમજો. આજે ઊઠાં ભણાવનારાનો પાર નથી. એ કહે છે કે-‘વાત ચૌદમા ગુણઠાણાની કરે
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy