SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ : સર્વત્ર ત્યાગની જ વાત વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, મહા વદ ૯, શનિવાર, તા. ૨૨-૨-૧૯૩૦. 10 • સંસાર ન ગમે તો જ મોક્ષનો સાચો પુરુષાર્થ થાય : • આર્ય અને અનાર્ય : સ્વોપકાર અને પરોપકાર : સમ્યગ્દષ્ટિ શું વિચારે ? • બધી વસ્તુના અનુભવ ન કરાય : • જ્ઞાન શા માટે : • દેવ, ગુરુ, ધર્મ માને તેને સંસાર ગમે ?” જ્યાં જુઓ ત્યાં બધે જ ત્યાગની વાત : • પાછળ કોઈ રુવે એનું પાપ કોને ? • અમને વૈરાગ્ય નહિ અને તમને કેમ ? • સંઘ કોના પક્ષે હોય? • સંઘ હોય ત્યાં દીક્ષા છૂપી ન આપવી પડે : સંસાર ન ગમે તો જ મોક્ષનો સાચો પુરુષાર્થ થાય ? અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવરજી શ્રી સંઘની સ્તુતિ કરી રહ્યા છે. શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમય પીઠની દૃઢતા માટે શંકાદિ પાંચે દોષોનો સર્વથા પરિત્યાગ કરવાનું ફરમાવ્યા બાદ એમાં રૂઢતા લાવવા માટે સમ્યગ્દષ્ટિ આત્માએ પ્રતિસમય વિશુદ્ધ બનતી પરિણામની ધારાનું સેવન કરવું જોઈએ એમ ફરમાવે છે. એ પરિણામની ધારાનું નિરૂપણ કરતાં પૂ. આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ જે ફરમાવ્યું છે તેનો વિચાર કરતાં આપણે જોઈ ગયા કે - "તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર થયેલા આત્માને સંસારમાં આનંદ ન હોય.” પછી ૧. તલના : સત યાસ્મિત્રો ઘચ: સદનસંયુતઃ | तत्त्वश्रद्धानपूतात्मा रमते न भवोदधौ ।।८।।
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy