SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ : સાવધ રહેવાની જરૂર વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, મહા વદ દ્વિ. ૮, શુક્રવાર, તા. ૨૧-૨-૧૯૩૦ ♦ સમ્યગ્દષ્ટિ માટે સંસારની ક્રિયા દુષ્કર-મોક્ષની ક્રિયા સુકર : ♦ સમ્યગ્દષ્ટિને ખટકે શું ? જૈનશાસનની ત્યાગભાવના : • સમ્યગ્દષ્ટિને દુઃખ શાનું ? ♦ સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન-અજ્ઞાન : ♦ મુનિપણું સંસાર ત્યજે ત્યારે આવે અને સમ્યગ્દર્શન સંસાર ન ગમે ત્યારે આવે : · જ્ઞાન, દર્શન, ચારિત્રનો પરસ્પર સંબંધ : ♦ ઉપદેશકનું કર્તવ્ય : • બહાદુર કોણ ? ♦ ત્યાગનું ધ્યેય : પ્રભાવના શામાં ? - દરેક વસ્તુને પૈસાના માપે ન મપાય સિદ્ધગિરિની યાત્રા બંધ થઈ ત્યારે ! એ લૂંટારાઓથી સાવધ રહેજો ! એ-મિથ્યાદષ્ટિ, અજ્ઞાની અને પ્રપંચી છે : 69 સમ્યગ્દષ્ટિ માટે સંસારની ક્રિયા દુષ્કર-મોક્ષની ક્રિયા સુકર : અનંત ઉપકારી સૂત્રકા૨ ૫૨મર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર મહારાજા ફરમાવે છે કે-શ્રી સંઘરૂપ મેરૂની વજ્રરત્નમય પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. દઢતા માટે શંકાદિ પાંચેય દોષોનો પરિત્યાગ કરવો જોઈએ. એ દૃઢતાને રૂઢ કરવા અર્થાત્ એ પીઠમાં રૂઢતા લાવવા માટે પ્રતિસમયે શુદ્ધ બનતી પરિણામની ધારાનું સેવન ક૨વું જોઈએ. પરિણામની ધારાનું નિરૂપણ કરતાં ‘શાસ્ત્રવાર્તા સમુચ્ચય' નામના ગ્રંથમાં પૂ. આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે-“તત્ત્વની શ્રદ્ધા જેને થઈ તે આત્મા સંસારસાગરમાં ૨મે નહિ .” કેમ ન ૨મે ? કારણ કે-નેત્રનો રોગ જવાથી જેમ માણસ વસ્તુના વાસ્તવિક રૂપને જોઈ શકે છે, તેમ મિથ્યાત્વરોગ નાશ પામવાથી એ આત્માને સંસાર છે તેવો દેખાય છે અને સંસાર છે તેવો દેખાવાથી એને સંવેગ પેદા થાય છે.
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy