________________
991 - ૨૮: અદાલતના આંગણે – 68 -
૪૨૧ હોઈએ, તો કોઈ મહેરબાનીની રાહે તમે અમને છોડતા નહિ.” જાહેર પત્રોમાં અમારા વિરુદ્ધ ઘણું લખાયું હતું. સૌરાષ્ટ્ર' પત્રના અધિપતિએ લખ્યું હતું કે, આ સાધુને ગમે તે રીતે કાયદાની ચુંગાલમાં ફસાવવા જોઈએ. એણે જાહેર કર્યું હતું કે, ગામેગામનાં પોલીસ મથકોમાં આ સાધુના આવવાની ખબર આપવી તથા એને કોઈપણ રીતે કાયદામાં ફસાવવાની યોજના કરવી. અમદાવાદના એક મારા પ્રત્યે ભક્તિ ધરાવનારા અમલદારે પણ મને સાવધ રહેવા વિનંતી કરી હતી. એણે કહ્યું હતું કે-“મહારાજ ! હું જાણું છું કે સત્ય તમારા પક્ષે જ છે પણ તમને ફસાવવા અનેક પેરવીઓ ચાલે છે, જો કે મને વિશ્વાસ છે કે સત્યવાદીઓ હમેશાં પીંજરામાંથી પણ છૂટી આવે છે તેમ તેમ પણ છૂટી આવવાના. તેમ છતાં તમારા પર ભક્તિ છે માટે ચેતવ્યા વિના રહી શકતો નથી.'
આખરે ખંભાતની સરકારે વિરોધીઓને જણાવી દીધું કે-“એ મુનિને અટકાવવા માટે કાયદાની કોઈ કલમ કામ આપે તેમ નથી. સાધુના પગમાં બેડી ? ગુનો શો ? બાલદીક્ષા એ ગુનો છે ? જે દિવસે કર્મના યોગે ગાંડાઈ કરીને ગુનો કરીશું અને પગમાં બેડી પહેરવાનો વખત આવશે, ત્યારે લખી રાખજો કે અમે આ વેષમાં નહિ હોઈએ. વેષ ઉતારી નાંખશું. આ વેષે તો ઝંઝીર ન જ પહેરીએ ! એ મનોરથ મનમાં રાખો !
તમે ખાડા ખોદો તો તેમાં રેતી પૂરવાનું કામ અમારે કરવું જ પડે. બાલદીક્ષા આપનારને બેડી પહેરાવવાના મનોરથ સેવનારા મહાત્મા, તેમના એ મનોરથ હમણાં મનમાં જ રાખે. તાકાત હોય તો છડેચોક પાટ પર બેસી જાહેરમાં બોલે. બાકી ચાર ભક્તો પાસે ગુસપુસ કરે તેની કિંમત નથી. બાળદીક્ષા એ કાંઈ ગુનો છે ?
માતા-પિતા પોતે બાળકને મૂકવા આવ્યાં અને ખુદ ભગવાને અતિમુક્તકને ઉપાડી લીધો એ જાણો છો ને ? માની રજા લઈને ગૌતમસ્વામીજીની આંગળીએ એ ચાલ્યો. માર્ગમાં એ બાળક કહે છે કે-“ભગવન્! આપની પાસે ભાર ઘણો છે. થોડો મને આપો. હું પણ ઉપાડું.” ગૌતમ મહારાજા પ્રેમથી કહે છે કે-“વત્સ ! તને ન અપાય. એ તો દીક્ષા લે તેને જ અપાય.' ત્યારે એ બાળક કહે છે કે-“મને દીક્ષા આપો.' ગૌતમસ્વામી કહે છે કે-“માને પૂછ્યું ?” બાળક કહે છે કે“માતાએ તો સાથે મોકલ્યો જ છે ને ? સમજાય છે આ બાળકની વાત ? હેં હૈ શું કરો છો ? ભગવાને દીક્ષા આપી દીધી. ભગવાનના શાસનમાં બાળદીક્ષા એ