________________
૨૮ : અદાલતના આંગણે - 68
ન ચાલે. આપણે સ્મશાનશાંતિની જરૂર નથી. ચેતનવંતાઓ મુડદાની શાંતિને ઇચ્છે ? વસ્તુતત્ત્વ ઘવાય તોયે શાંતિ ? ગ્રાહકની દાઢીમાં વેપારી હાથ ક્યાં સુધી ઘાલે ? બે પૈસા પણ મળતા હોય ત્યાં સુધી તો ગ્રાહકને નારાજ ન કરે પણ ગ્રાહક માલ ઉઠાવી પૈસા આપ્યા વિના જ ચાલતો થાય તોયે એ શાંતિ રાખે ? રાખે તો એ વેપારી કહેવાય કે ગમાર વ્હેવાય ?
979
૪૦૯
એ જ રીતે અહીં સમજવાની બુદ્ધિએ પુછાય ત્યાં સુધી તો મુનિ શાંતિથી સમજાવે પણ ડખો ઘાલવા આવ્યો છે એમ સમજાય તો ઉગ્રતા પણ લાવે. એ ઉગ્રતામાંથી કદી ભડકા પણ ઊઠે-પેલો પણ સમજી જાય કે અહીં કાંઈ નહિ ચાલે. આવું ન સમજાવી શકે તેનાથી આ શાસ્ત્ર કોઈને ન દેવાય. મહર્ષિઓએ કરેલા આકરા શબ્દપ્રયોગો :
. ક્ષમાના સાગર એવા મહર્ષિઓએ લખતાં લખતાં એવા પણ શબ્દના આકરા પ્રહારો કર્યા છે કે ન પૂછો વાત. એ પ્રહારો કાંઈ નાનાસૂના નથી, પણ એ જાણતા હતા કે એવા પ્રહારો વિના વસ્તુનું પરિણમન થાય જ નહિ. મનુષ્યજીવનને ખૂબ ઊંચું કહ્યું, કહેવાય તેટલું ઊંચું કહ્યું, પણ એમાં અયોગ્ય વર્તાવ થાય તો એ જ મનુષ્યજીવનના એમણે છોતરાં ઉખાડી નાખ્યાં. એવા મનુષ્યજીવનની કોડીની પણ કિંમત નથી એમ પણ એમણે જ કહ્યું. માનવજીવનને અતિશય દુર્લભ કહ્યું. પણ તે કયું ? એ જાણવું જરૂરી નથી ?
કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે આ માનવજીવન ઘણું દુર્લભ છે. જે માનવજીવન વિના તીર્થંક૨દેવો પણ મુક્તિ સાધી શક્યાં નથી, મુક્તિની સાધના માટે તેમને પણ જે માનવજીવનનો ખપ પડ્યો છે, અરે એક એક આત્મા જે મુક્તિએ ગયા તે આ માનવજીવનને પામીને જ ગયા છે, વર્તમાનમાં જે જાય છે અને ભવિષ્યમાં જે જવાના છે તે બધા આ માનવજીવનને પામીને જ, આવું અતિ દુર્લભ આ માનવજીવન છે. માનવજીવન, આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળ વગેરે તમામ ઉત્તમ સામગ્રીના યોગે જ મુક્તિ પમાય, પરંતુ એ જ માનવજીવન પામી જિંદગી આખી ભોગસુખમાં જ પસાર કરવામાં આવે તો એ મહર્ષિએ કહ્યું કે-એ સુવર્ણપાત્રમાં મદિરા ભરવા જેવું છે.’ તેમણે ફ૨માવ્યું છે કે
“જ્ઞાન-ર્શન-ચારિત્ર-રત્નત્રિતય भाजने I मनुजत्वे पापकर्म, स्वर्णभाण्डेसुरोपमम् ।।१।।"
કહો ! કાંઈ બાકી રાખ્યું ? માનવજીવનના દુરુપયોગને કેવી ઉપમા આપી ? મુક્તિના સાધનભૂત માનવજીવનને જે ભોગનું સાધન સમજે તેને