________________
-
948
. ૩૭૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ ઘરના તો મહાવીરના નામે બોલે અને તે પણ પોતાની મતિ મુજબનું બોલે, ત્યાં વાંધો છે. પાણીમાં જીવ નથી એમ ઇતર કહે પણ તે મહાવીરના નામે કહે છે ? ના. તો પછી બીજાના નામે કહે ત્યાં વાંધો શો ? આ તો કહે કે-“મહાવીરને માનું, આગમો માનું પણ પાણીમાં જીવ નથી માનતો, મહાવીર પાણીમાં જીવ કહે જ નહિ.” આવું બોલે એ ન નભાવાય, કહેવું પડે કે એ નિદ્ભવ-એક હાથમાં દૂધી અને એક હાથમાં બટેટું રાખીને કહે કે “આમાં થોડી જીવ અને આમાં અનંતા-આવું વળી મહાવીર કહેતા હશે ?”, આવું બોલનારા અને મહાવીરના નામે ખોટી વાતો કરનારા પેલાથીયે ભયંકર છે.
આજે વિરોધી પણ મહાવીરને ખોટા નથી કહેતા, “શ્રદ્ધા નથી” એમ કહે છે ? તમામ આગમને ખોટાં કહે છે ? ખોટાં આગમમાં શ્રદ્ધા નથી એમ કહે છે ? ના. એ કહે છે કે-“શ્રી જિનેશ્વરદેવ ખરા-એમની આજ્ઞા ખરી-પણ એ આજ્ઞા આજે રહી નથી. હવે આમને સમ્યગ્દષ્ટિ મનાય ? એ કહે છે કે“ચોવીસસો વર્ષ પહેલાંની આજ્ઞા તો ભગવાન મહાવીર સાથે ગઈ. આજે છે તે તો બનાવટી છે. પાછળનાઓએ ઊભી કરેલી છે.' આવું બોલે છતાં એને સંઘમાં મનાય ? જો ભગવાન મહાવીરની સાથે બધું ગયું તો શાસન રહ્યું ક્યાંથી ? આચારાંગ, સૂયગડાંગના બનાવનારા સ્વયં ગણધરદેવો છે, તે પણ જો બનાવટી લાગે તો આ. શ્રી હરિભદ્રસૂરિજીની કિંમત શી ? પછી તો કહી દો કે ભગવાનનું શાસન ભગવાનની સાથે ગયું. આમ કહેવું છે ? આવું હોત તો યથા -લખવું ન પડત. “અરિહંતના પ્રવચન પર રાગ છે” એમ બોલવા માત્રથી સમ્યક્ત્વ ન આવેજે ન જાણીએ તેમાં મૌન રહેવાય પણ યથેચ્છ ક્યારેય ન બોલાય?
યામાને વિ સમ્પનં - પોતે ન જાણે છતાં-શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે સાચુંએવા ભાવથી શ્રદ્ધા રાખે તે સમ્યગ્દષ્ટિ, એમ કહ્યું ત્યાં વચ્ચે પોતાની મતિની વાત લાવે તે કેમ ચાલે ? આગમની આજ્ઞા જોઈને જ બોલાય-ન બેસે ત્યાં મૂંગા રહે-સાIIણ થમ્યો-' ધર્મ આજ્ઞામાં છે-ધર્મ મતિમાં નથી.
જૈનદર્શનમાં તો ઘણીયે વસ્તુ હોય પણ મને જેનો અભ્યાસ ન હોય તે કલ્પનથી કહી શકતો હોઉં તો પણ કહેવાની શાસ્ત્ર ના પાડી. આગમ પાસે કલ્પના થાય ? ગીતાર્થોના વિરોધથી ઘણા મુનિઓ મૂંગા રહ્યા પણ પોતાની મતિ મુજબ બોલ્યા નથી. અમને છમસ્થપણું છતાં બોલવાનો હક્ક અને શ્રી જિનેશ્વરદેવને છઘકાળમાં બોલવાનો હક્ક કેમ નહિ ? છઘઉકાળમાં એમણે પોતે બોલવાનો હક્ક સ્વીકાર્યો નથી અને અમને છઘWકાળમાં