________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ભ્રષ્ટ આચાર્યના કથનને સાંભળીને તે સાધ્વીએ પણ આચાર્યને ઉદ્દેશીને
કહ્યું કે,
હે જ્યેષ્ઠ આર્ય ! તું શ્રમણ છો ! ગણી છો !! અને ગુણી છો ! તો હવે મને કહે કે, આ તારા ભાજનમાં શું છે ? ખરેખર, આ આશ્ચર્યની વાત છે કે, તું પારકાનાં સરસવ જેટલાં છિદ્રો જુએ છે ! અને પોતાનાં બીલાં જેટલાં છિદ્રોને હોવા છતાં પણ જોતો નથી !
૧૪
584
આ પ્રમાણે તેણે માર્મિક ઘા કરવા છતાં પણ તે ભ્રષ્ટ આચાર્યને ચાનક ન લાગી ! પણ ધૃષ્ટતાથી મૌન થઈને તે આચાર્ય તો ચુપચાપ આગળ જ ચાલ્યા !. વિચારો કે, કર્મના યોગે કેવા પ્રકારની ધૃષ્ટતા આવે છે ! ગમે તેવી ધૃષ્ટતા કરે પણ પ્રતિબોધ કરવા આવેલો દેવ ઓછો જ છોડે તેમ છે ! આચાર્ય તો ધીકા થઈને આગળ ચાલ્યા, પણ આગળ ચાલતાં આચાર્યે સામેથી સેના સાથે આવતા, એક રાજાને જોયો ! અને તે રાજાએ નમસ્કાર કરીને આહાર માટે આચાર્યને નિયંત્રણ કર્યું ! આ નિમંત્રણથી આચાર્ય મૂંઝાયા અને ‘મારાં ભૂષણોને આ ન જોઈ જાય.' આ વિચારથી આચાર્યે રાજાનું આમંત્રણ ન સ્વીકાર્યું ! આથી રાજાએ હઠથી તે આચાર્ય પાસેથી પાત્ર ખેંચ્યું અને એમાં અલંકારો જોઈને એકદમ તેનું મુખ ભયંકર બની ગયું. ભ્રકુટિના ભંગથી ભયંકર મુખવાળા બનેલા રાજાએ સૂરિની તર્જના કરતાં કહ્યું કે
“હા ! હા ! શું તેં મારાં સઘળાંય તે બાળકોને મારી નાખ્યાં ? ચોક્કસ એમ જ લાગે છે, કારણ કે, તારા ભાજનમાં તે બાળકોના અલંકારો દેખાય છે !” રાજાની આ વાત સાંભળીને તે આચાર્ય પોતાના કર્મથી ખૂબ ખૂબ ભય પામ્યા. તેમનું મોં એકદમ વિલખું થઈ ગયું.
એ રીતે પોતાના ૫૨મ ઉ૫કા૨ી પ૨મ ગુરુદેવને વિલખા વદનવાળા જોઈને તે દેવતા એકદમ ક્ષુલ્લકનું એટલે પોતે પોતાના ગુરુની નિશ્રામાં જેવા સાધુ તરીકે હતો, તેવું રૂપ કરીને તે આચાર્ય પ્રત્યે બોલ્યો કે –
“હે પરમગુરુદેવ ! આપ ડરો નહિ, કારણ કે, ‘બાળક વગેરે સઘળુંય મેં આપના પ્રતિબોધ માટે કરેલું છે.' પણ હું આપને એ પૂછું છું કે, ગણને ધરનારા
૧. ‘‘દત્તા ત્વયા હતા: હ્રિ તે, સર્વેઽપિ મન દ્વારા: । મજ્જારા નિરીક્ષ્યન્તે, તેમાં યદ્વાનને તવ શા" ૨. “મા મેષીરિવું વારાવિ, ત્વોષાય મા વૃતમ્ । गणर्धार्यपि चारित्र त्यागी जातः कथं वद ।।१।। "