________________
57s ૧ : શંકાથી સર્જાતી અનર્થની પરંપરા ! 41 – ૩
“પ્રભુવચનમાં શંકિત થવું એનું પરિણામ ઘણું જ વિષય હોય છે, અને જો કોઈ બચાવનાર ન મળે તો એ દશામાંથી ઊગરવું એ પણ ઘણું જ મુશ્કેલ છે.”
આર્ય શ્રી આષાઢાભૂતિ' નામના આચાર્યવર્યનું આખ્યાન આલેખતાં પરમોપકારી પરમર્ષિ ફરમાવે છે કે -
આજ ભરતવર્ષમાં સપુરુષોના હર્ષનો ઉત્કર્ષ કરનારી દુશ્મનોથી પરાભવને ન પમાડી શકાય એવી અને લક્ષ્મીથ સ્વર્ગપુરીને જીતવાના સ્વભાવવાળી 'અયોધ્યા નામની એક નગરી હતી તે નગરીમાં એક દિવસ શ્રી આર્ય આષાઢાભૂતિ નામના એક સૂરિ-મહારાજા પધાર્યા. આષાઢાભૂતિ આચાર્યનું ગુણસમૃદ્ધ જીવન:
એ સૂરિ મહારાજાનું વર્ણન કરતાં ચરિત્રકાર મહર્ષિએ ફરમાવ્યું છે કે,
તે સૂરિ મહારાજા ઘણી જ નામનાવાળા હતા, અંગસહિત જે પ્રવચન તેના જાણ પુરુષોની શ્રેણીમાં મુકુટ સમા હતા, પ્રશંસાપાત્ર શિષ્યોના પરિવારવાળા હતા, દેશનારૂપી અમૃતને વરસાવનારા હતા, “મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ આ ત્રણે પ્રકારની ગુપ્તિઓથી ગુપ્ત હતા અને ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આંદાન-નિક્ષેપ-સમિતિ અને પારિષ્ઠાપનિકાસમિતિ' - આ પાંચે સમિતિઓથી સમિત હતા, તથા “સખ્યદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યફચારિત્ર' રૂપ જે રત્નત્રય તેની શોભાને ધરનારા હતા.” પરોપકારકરણ :
આવા સૂરિ મહારાજા શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રભાવના કરે એમાં આશ્ચર્ય પણ શું છે ? ખરેખર આવા ગુણસંપન્ન સૂરિ મહારાજા પ્રભુશાસનમાં અલંકારસમા છે. આવા સૂરિ મહારાજા સ્વહિત સાધવા સાથે વિશ્વના હિતને પણ સાધનારા હોય છે. આવા સૂરિ મહારાજા પોતાની નિશ્રામાં રહેલા શિષ્યગણનું હિત સાધે એમાં કશું જ આશ્ચર્ય નથી.
સૂરિ મહારાજા પોતાના શિષ્યગણનું હિત થાય તે માટે અંતિમ અવસ્થામાં કેવા પ્રકારે નિર્જરા કરાવતા હતા, એનું વર્ણન કરતાં ચરિત્રકાર મહર્ષિ લખે છે કે –
* “સૂરો મૂરિનામાનોડનુયાનાિરા !
शस्यशिष्यपरीवारा, देशनामृतवर्षिणः । ત્રિગુપ્તા: પન્નક્ષમતા, રત્નત્રયવિમુપUT: "