SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૪ – સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ – 564 સાહિત્ય, સંસ્કૃતિનો ઇતિહાસ કે ઐતિહાસિક રીતે સમજ, રાષ્ટ્ર, ધર્મ અને સાહિત્યને લગતું તુલનાત્મક જ્ઞાન કદી આપતું જ નથી, આધુનિક વિજ્ઞાનશાસ્ત્ર અને સમાજશાસ્ત્રને ધર્મમાં શું સ્થાન છે, તે પણ ધાર્મિક પંડિતો ભાગ્યે જ સમજાવી શકે છે.” તા. ૨-૧૨-૩૦ “સાંજ વર્તમાન” શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા. નં. રૂ. આર્થિક યુગ-મંથન “આને કોઈ જડવાદી પ્રવૃત્તિ ગણી તિરસ્કારે, કે અમર્યાદિત આરંભ : સમારંભ ગણી નિંદે, તો તેની સામે આપણે જોવાનું નથી. x x x ભૂખે પેટે ધર્મોપદેશની અસર થતી નથી અને તેમ કરવાનો પ્રયત્ન કરવો. એ નિર્દય : મશ્કરી છે. આ સાથે સંસારના આ જીવનયુદ્ધથી ડરીને કે કંટાળીને હરામખોરીથી સંન્યસ્ત સ્વીકારવો, તે તો સાચો સંન્યાસ નથી, પણ સંસારદ્રોહ . છે, બાયલાપણું છે, હરામખોરી છે.” R | XXX પણ જૈન સાધુ-સાધ્વીઓએ પણ રાજકીય પ્રશ્નનો અભ્યાસ કરવો પડશે, તેમાં માથું મારવું પડશે અને સક્રિય ભાગ લેવો પડશે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકાઃ “સાંજ વર્તમાન', તા. ૧૦-૧૨-૨૯ બળવાખોર બહેનોને ! x x x “બીજા સમાજની માનસછોળો જૈન ધાર્મિક માનસ પર પડવા લાગી. જે જૈન ધર્મ મનાયો તે વ્યવહારમાં ઊતારવું અશક્ય લાગ્યું. વ્યવહારને નામે ધર્મની ભાવનામાં ભંગાણ સ્વીકારાયું. સ્ત્રી તીર્થંકર-એ અપવાદ મનાયા, સાધ્વી કરતાં સાધુ અને શ્રાવિકા કરતાં શ્રાવક શ્રેષ્ઠ એમ જૈન સમાજની વ્યવહારપ્રિય ધાર્મિક વ્યવસ્થાએ સ્વીકાર્યું. પણ આટલું જ બસ નહોતું. ગમે તેવી મહાન સાધ્વી આખરે તો સ્ત્રી જ ને ! તેને પુરુષ કેમ વંદે ? વ્યવહારને નામે ધર્મભાવનાના બલિદાન આમ દેવાયાં. x x x “પુરુષત્વ આદેશે પુરુષ શાસ્ત્રકારોને લખો ! લખો ઓ શાસ્ત્રકારો ! કે, “ન શોભે સ્ત્રી અને પુરુષધર્મની વ્યવસ્થામાં પણ સમાન આરે,
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy