SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ 549. - પરિશિષ્ટ-૧ ૫૪૯ ક્રાંતિકારી હતા. + + + + શ્રી ઋષભદેવ જેવા પ્રથમ તીર્થંકરદેવે જાતે જ આ બાળાના વૈધવ્યનું દુઃખ સહન ન થઈ શકવાથી તે વિધવા સાથે લગ્ન કરી સમાજ-વ્યવસ્થામાં ક્રાંતિ ફેલાવી.” “એક વખત એકથી વધુ પત્ની કરનાર ચક્રવર્તી, મહાત્મા, ભગવાન કે પયગમ્બરમાં ખપતા હતા.” “દેહલગ્નની વિધવાને યાને હિન્દુ સમાજની વિધવાને પુનર્લગ્ન સમ મુક્તિ નથી.” “ફરજિયાત વૈધવ્ય એ પુણ્ય નથી, પણ પાપ છે, ધર્મ નથી પણ અધર્મ છે, નીતિ નથી પણ અનીતિ છે.” + + + + જો જૈન સમાજ આ હિંમત નહિ બતાવે તો તેના નૈતિક જીવનના મૂળ પર સખત ઘા થશે અને અંતે સમાજના નૈતિક જીવનનો નાશ થશે.” બીજા સમાજોની માફક જૈન સમાજે જીવવું હોય તો પુનર્લગ્ન બાબતમાં હિંમત બતાવ્યે જ છૂટકો. * * “સાંજ વર્તમાન તા. ૩૧-૧૨-૧૯૨૯ શ્રી જૈન યુવક સંઘ નં. ૨૫ જૈનોનું ફતવાશાસ્ત્ર અને તેના નાશની જરૂર + ++ “તેમ જૈનોની અંદર પણ સ્થાપિત હક્કોના બચાવ અર્થે જ લાગતા વળગતા પક્ષ તરફથી શાસ્ત્રો ઊભાં કરવામાં આવ્યાં છે. + + + જૈન સાહિત્ય પણ સાધુઓએ શ્રાવકોથી અમુક સાહિત્ય ન વાંચી શકાય એવા ફતવાશાસ્ત્રનો ઉમેરો કર્યો છે.” “+ + + + આજે વીસમી સદીના આ યુગમાં એ શાસ્ત્ર એટલું તો જર્જરિત થઈ ગયું છે કે તેને જડમૂળથી ઉખેડી નાંખવાની જરૂર છે.” ,
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy