SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ 429 - ૩૪ઃ વિરાગીની પરીક્ષા કોણ લઈ શકે ? - 34 – ૪૨૯ આજનાં પુસ્તકોમાં વસ્તુ જ ન જણાય અને આ મહાપુરુષો તો પહેલી ગાથામાં જ વસ્તુ જણાવી દે. ગ્રંથનું નામ જ વસ્તુ-સૂચન કરે એવું હોય. આજના ગ્રંથોનાં તો પ્રાયઃ નામ અને કામ બધું આડંબરી ! પણ એ આડંબરીઓએ સમજી લેવું જોઈએ કે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માના સ્વાભાવિક ગુણોના પ્રકાશમાં કોઈ જાતનો દેખાવ કરવો પડતો જ નથી. આપણી ક્રિયા તો અભ્યાસ છે; તે જેમ જેમ વધશે તેમ તેમ સ્વાભાવિકતા આવશે; પછી “હું જ્ઞાની, હું સંયમી” કહેવું નહિ પડે; “તપ કરવો છે” એવો વિચાર પણ નહિ કરવો પડે, તપ એ આત્માનો ગુણ છે, પછી તપ કરવાનો તે વિચાર કરવો પડે? નહિ. વિચાર કરવો પડે, તો ખાવું પડશે,’ એ વિચાર કરવો પડે ? પણ એ દશા સ્વાભાવિક ગુણ ખીલે ત્યારે જ આવે. ત્રિપદી, ગણધર, તીર્થપ્રચાર, એ બધી સામગ્રી દરેક શ્રી તીર્થંકરદેવની નિયત અને તૈયાર હોય; કશી યોજના નવી નથી કરવી પડતી. યોજના તો બનાવટીને કરવી પડે. મુનિનો કાર્યક્રમ પણ નિયત જ છે; જે જેટલો અમલમાં ન મુકાય તે માટે ઘટના કરવી પડે; એ જ કારણે આ શાસનમાં પોલાણવાળાને તીર્થ સ્થાપવાનો અધિકાર જ નથી. જે જેવા હતા તે તેવું પામ્યા! . - શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા ન થવાનું આ જ મુખ્ય કારણ છે; શ્રી જિનેશ્વરદેવ ઇરાદાપૂર્વક આ બધું નિર્માણ કરે છે એમ નથી, પણ એ તારકના નિમિત્તે તીર્થનું નિર્માણ થાય છે. “આ યોગ્ય અને આ અયોગ્ય' એ શાથી કહે ' છે ? જ્ઞાનપ્રકાશ એ બતાવે છે. ત્યાં રાગદ્વેષ કેમ જ આવે ? નાડીજ્ઞાન વિનાનો . વૈદ્ય પૈસાના લોભે ગપ્પાં મારે, પણ નાડીનું જ્ઞાન ધરાવતો અને નિર્લોભી વૈદ્ય નાડી હાથમાં લીધા પછી ગપ્પાં કેમ જ મારે ? ન જ મારે. '. અનંતજ્ઞાનનો પણ સ્વભાવ કે, એમાં વસ્તુ હોય તેવી દેખાય, એ જ કારણે અનંતજ્ઞાની દરેક વસ્તુને જેવી હોય તેવી જ કહે. સૂર્યમાં પ્રકાશ, ચંદ્રમામાં શીતળતા. મેઘમાં વરસવાપણું, ઋતુમાં તેવા તેવા ગુણો, એ બધું સ્વભાવથી જ છે. તેમ શ્રી જિનેશ્વરદેવનું શાસન પણ સ્વભાવથી જ છે. એના પ્રકાશને જેટલો ઝિલાય તેટલો ઝીલનારાએ ઝીલ્યો. એમાંથી અમુક વસ્તુને જ પકડી જે આગ્રહી બન્યા, તે કુમતવાદી બન્યા; કુમતમાં તણાયા તે મિથ્યાદૃષ્ટિ કહેવાયા; અને કુમતમાં ગયા પછી સુમતનો વિરોધ કરનારા વિરોધી થયા. જેનામાં જે યોગ્યતા હતી તેવા તે બન્યા. યોગ્ય હતા તે પામ્યા, યોગ્યતા વગરના વંચિત રહ્યા અને અયોગ્યોએ હાનિ ઉઠાવી.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy