SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ : સમ્યગ્દર્શન ઉપર મોક્ષનું મંડાણ - 31 સમ્યગ્દર્શન છે કે નહિ, એ તો વિચારવું જ જોઈએ, કારણ કે, એના ઉપર આખાય શ્રીસંઘનું મંડાણ છે. મોક્ષનાં બધાંય સાધનો પણ જો સમ્યગ્દર્શન હોય તો જ ફળે છે. એના વિના ગમે તેવું દાન, ગમે તેવું શીલ, ગમે તેવો તપ અને ગમે તેવો ભાવ હોય તો પણ વસ્તુતઃ તે દાન નથી, શીલ નથી, તપ નથી અને ભાવ પણ નથી ! એટલે કે, સમ્યગ્દર્શન વિના દાન દાનરૂપ નથી, શીલ શીલરૂપ નથી, તપ તપરૂપ નથી અને ભાવ ભાવરૂપ નથી. ટૂંકમાં બધી જ ધર્મક્રિયાઓને શુદ્ધ-નિર્મળ બનાવનાર એક સમ્યગ્દર્શન જ છે અને જો ધર્મક્રિયાઓ શુદ્ધ બને તો મુક્તિ પણ ન મળે એ નિશ્ચિત છે. દૃષ્ટિકોણ ફેરવો ! 389 ૩૮૯ સમ્યગ્દર્શન વિનાની ધર્મક્રિયાથી ભલે શુભ આશ્રવ થાય, એનાથી ભલે શુભ ગતિની પ્રાપ્તિ થાય, ભલે પૌદ્ગલિક સાહ્યબી વગેરે પણ મળે, પરંતુ પરિણામે તો આથડવાનું જ ! ‘લાખ મળે તો ધર્મક્રિયામાં શ્રદ્ધા રહે, પણ ન મળે અથવા જાય તો શ્રદ્ધા તૂટે' આવી દશા આવવાનું કારણ સમ્યગ્દર્શનનો અભાવ નહિ તો બીજું શું છે ? આજે કેટલાકને મન ધર્મના સારા-નરસાપણાનું માપ, જે લાખ મળવા ન મેંળવા ૫૨ ૨હે છે, તેનું કારણ એ જ છે કે, સમ્યગ્દર્શન રૂપ મૂળ વસ્તુ નથી. ‘બહારનાં સાધનો મળે તો દેવ, ગુરુ, ધર્મ ચમત્કારી અને ન મળે. તો કાંઈ નહિ' – એમ જો કહેવાતું હોય, તો તેનું કારણ એ જ છે કે, સમ્યગ્દર્શન છે નહિ. ધર્મીની દૃષ્ટિ તો પરમ શુદ્ધ જોઈએ. એની દૃષ્ટિમાં દુનિયાની ચીજની કિંમત જ ન હોય; એની દૃષ્ટિ તો ‘કેમ નિર્મળ થાઉં ?’ આ જ હોય; પણ ‘કેમ સાહ્યબી મળે ?' એ દૃષ્ટિ એની ન હોય. કેટલાક આજે કહે છે કે, ‘ધર્મ ખરો પણ દુનિયાદારીનો વ્યવહાર પહેલો.’ તેઓને પૂછો કે, શું એ વ્યવહા૨ સાથે આવશે ? ખરેખર, ‘કેવળ આ લોકને જ દૃષ્ટિમાં રાખવો અને પરલોકને ભૂલવો' એ જ આસ્તિક્યનો અભાવ છે અને એ જ નાસ્તિકતા છે. જેઓ પરલોક નથી માનતા, તેઓ તો ગમે તેમ વર્તે એ વાત અલગ છે, કારણ કે, તેઓ પરલોકને માનતા નથી; પણ જેઓ મોંઢેથી ‘પરલોક છે' એમ કહે અને આ લોકની ક્રિયામાંથી મરતાં સુધી પણ ન પરવારે તથા પરલોકનો વિચાર જ ન કરે, ત્યાં આસ્તિક્ય છે એમ મનાય કઈ રીતે ? જેઓને પરલોકનો વિચાર જ નથી આવતો, તેઓમાં આસ્તિકતા આવી ક્યાંથી ? જે ઘર, કુટુંબ, પરિવાર સાહ્યબી અને શરીર વગેરે તમામને પારકું
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy