________________
297, - ૨૫ : નામ ક્રાંતિનું ! કામ ભ્રાન્તિનું ! - 25 - ૨૯૭ તરીકે સારી છાપ પાડે, એવો સુધારો કરવો છે ને ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સાચવીને સુધારો થાય કે લોપીને ? “દરેક સંસ્થાના સુધારા-વધારા એના ઉદ્દેશને અનુસરીને જ થાય. કદી અનુસરાય નહિ તો પણ વિરુદ્ધ તો ન જ જવાય; ઉદ્દેશનું ખૂન તો ન જ કરાય.” આ બધું સમજાવવું જોઈએ. બીજા ઠરાવો કરવા હોય તો નામ ફેરવો !
અહીં આવેલા પ્રશ્નની છૂટ ખરી, પણ શા માટે ? કેવળ મોક્ષના સાધનભૂત ધર્મની આરાધના સહેલાઈથી કેમ થઈ શકે, તે સમજવા માટે જ ! પણ બીજી પંચાતો ઊભી કરવા માટે નહિ જ. “પૈસા કેમ કમાઉ ? કઈ રીતે કમાઉ ?' એમ અહીં કોઈ પૂછે તો ? તો એને પૂછવું જ પડે કે, “તું કયે સ્થળે આવ્યો છે?' એ એમ કહે કે, “અહીં પૈસા મળે છે, એમ સાંભળ્યું છે.” તો કહેવું પડે કે, “તું મકાન ભૂલ્યો, કોઈને બદલે કોઈ બીજા જ મકાનમાં ઘૂસ્યો છે.” આ સાંભળીને એણે તરત ઊતરી જવું જોઈએ અને જો એમ કહે કે, “સાધુથી એ ઉપદેશ ન દેવાય ?” તો એ પ્રશ્ન પૂછવા માટે એણે પોતાની ભૂલ કબૂલવી પડે. કાં તો એણે ભૂલ કબૂલવી પડે, કાં તો એણે ઊતરી જવું પડે, પણ “બસ! અમે અહીં એવું કેમ ન પૂછીએ ?' એમ કહે, તો એનું નામ સુધારો નથી, પણ એ જ ભયંકર બગાડ છે.
સભાઃ ઘણા એકમતના થાય તો ? 1 લાખ ભેગા થાય તો યે શું? એવા લાખની સમક્ષ પણ સાધુ, શાસ્ત્રવિરોધી અને મુનિપણાનો નાશ કરે તેવા જવાબો ન આપે; પણ હૃદયથી સમજે અને સંયોગ અનુકૂળ હોય તો સમજાવે કે, “આ બિચારા અર્થકામની તીવ્ર લાલસાને યોગે, ધર્મની રુચિ વિનાના છે એટલે બુદ્ધિથી રહિત છે; નહિ તો “ઉઘાડું માથું અને ઉઘાડા પગવાળા” ત્યાગી જોવા છતાં “પૈસા કઈ રીતે મળે ?” આવું કદી જ ન પૂછત ! - ધર્મસ્થાનમાં અર્થકામને પોષક વાતો કે વિચારણાઓ ન જ થાય. “શા માટે સાધુઓ અમારાં ઘર ચલાવવાની કાર્યવાહી ન કહે ?' આવી તકરારો આ સ્થળે ન જ ઉઠાવાય !!! આની સામે કોઈ “ખુશીથી આવી તકરારો ઉઠાવી શકાય.” આવો સુધારો (?) કરાવવાની વાત કરે, તો તે સુધારો નથી, પણ ભયંકર કુધારો છે. એમાં વિનાશનું મૂળ પડ્યું છે !!” આવી જ રીતે એ “ધર્મીઓ એકત્રિત થાય, ત્યાં પણ ધર્મની વૃદ્ધિને કરનારા જ ઠરાવો વગેરે કરી શકાય, પણ બીજી જાતના નહિ જ.” આ વાત સમજાવીને તમે કહી શકો છો કે, “તમારે ધર્મ સિવાયના બીજા જ વિચારો કરવા હોય, તો નામ ફેરવો.