SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ પણ મળે; છતાં ત્યાં એ લોકો અંકુશની વાત કરે છે અને જે સર્કલમાં વાત જ તદ્દન જુદી છે ત્યાં નિરંકુશતા માગે છે, એનું કારણ ? વિચાર કરશો તો સમજી શકાશે કે સ્વાતંત્ર્યનો એમનો અર્થ વાજબી જ નથી. સંઘમાં રહેનારે પણ હવે એ નક્કી કરી લેવું જોઈશે. 208 હું અને તમે સંઘમાં ભેગા છીએ, પણ જો ભેગા રહીએ તો ! ભેગા કોણ રહી શકે ? ‘સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા.' આ ચાર જ. જેનામાં સાધુપણું કે શ્રાવકપણું ન હોય, તે તો ભેગા ન જ રહી શકે. છતે સૂર્યે અંધકારમાં અટવાવું એ કેમ પાલવે ? યોગ્ય રસ્તો સ્વીકાર્યા વિના ઉદય નથી. એ સંસા૨૨સિક લોકો કહે છે કે ‘દીક્ષા લેનારની પરીક્ષા અમે લઈએ.' ત્યારે શાસ્ત્ર. જાણનાર કહે કે વૈરાગ્ય અને વૈરાગ્યના પ્રેમ કે જ્ઞાન વિનાનાઓ વૈરાગ્યની પરીક્ષા કરે શી રીતે ?’ હીરાની પરીક્ષા ઝવેરી જ કરે કે હાંલ્લાનો ઘડનાર પણ કરે ? જૂરી (પંચ) તો સજ્જનની જં હોય, પણ મૂર્ખાઓની ન હોય. ન્યાયાધીશ પણ ન્યાયં ચૂકવતાં પહેલાં જૂરીને આખો કેસ સમજાવે, કાયદાની બારીકી સમજાવે, ત્યાર પછી જૂરી બોલે. જૂરી એમ ન કહે કે ‘જજનું સાંભળવું જ નહિ.' જજ આખો કેસ સમજાવે અને પછી કહે કે - ‘મારો અભિપ્રાય એવો છે, આ કેસમાં આટલી કાયદાની બારીકી છે, એ બધું ધ્યાનમાં લઈ ન્યાયબુદ્ધિથી અભિપ્રાય આપો.' જજની સમીંગ અપ સાંભળ્યા પછી જૂરી બોલે; પહેલાં બોલે તો ઘેર જવું પડે. જૂરીમાં બેસવું ને જજને સાંભળવા નહિ, એ કેમ ચાલે ? સ્ટીમરો ઘણીયે ડૂબી પણ મુસાફરી અટકી ?. આથી સ્પષ્ટ થાય છે કે સંયમંના અર્થીની પરીક્ષા શાસ્ત્રજ્ઞ સંયમધર કે સંયમના પ્રેમી જ કરી શકે પણ અન્ય કોઈ ન કરી શકે. બાલદીક્ષા આદિ માટે આજનાઓ જે જે વિકલ્પો કરે તે વિકલ્પોનું જ્ઞાન શાસ્ત્રકારોને પૂરેપૂરું હતું. દુનિયામાં ખોટ જ ન હોય એવો કયો વેપાર છે ? ખોટ આવે માટે વેપાર કેમ અટકે ? દુનિયામાં કોઈ નિસરણી એવી નથી કે જેના ઉપરથી કોઈ પડ્યું ન હોય. ઘણાએ ઘણીવાર પડ્યા હોય પણ પડેલાને એ નિસરણી જ ચડાવે. શાસ્ત્રકારો કહે છે કે દુનિયાનો કોઈ મોક્ષમાર્ગ એવો નથી કે, જ્યાં ચડીને કોઈ પણ આત્મા પડ્યા ન હોય. શ્રી તીર્થંકરદેવના કાળમાં પણ ચડનાર આત્માઓ પડતા હતા કે નહિ ? સભા : શ્રી કૃષ્ણ મહારાજાએ દાંડી પીટાવી ત્યારે પડવા-ન પડવાનું જોયેલું ? શ્રીસંઘ એવું એવું જોવાને તૈયાર નહોતો. શ્રીસંઘ તો વસ્તુની કિંમત આંકતો
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy