________________
a૩ – ૮: શરણ કોને અપાય અને કોણ આપી શકે? 8 – ૮૩ આ પાંચ પરમેષ્ઠિના પૂજક છીએ. આ પાંચમાં કોઈ પાઘડીવાળા છે ? મિલવાળા, બંગલા-બગીચાવાળા, લાડી, વાડી કે ગાડીવાળા, કંપનીવાળા, મોટરવાળા દેશ-પરદેશની પેઢીઓવાળા અથવા તો બેન્કર્સ એવા મોટા મોટા કોઈ એમાં છે ? કહોને કે-પાંચેય દીક્ષાવાળા જ છે. દીક્ષા વિનાના એક પણ નથી. આ પાંચને પૂજનારા તરીકે પોતાને ઓળખાવનારા, દીક્ષાનો વિરોધ કરે એનો અર્થ શો ? કેવલ આત્મહિતની સાધના કરે તે સાધુ. જેટલા અંશે દુનિયાની સાધના, તેટલા અંશે સાધુતાનો નાશ. દુનિયાના કોઈ પણ પદાર્થની લાલસા વિના, દુનિયાના સઘળા સંયોગ તજી, કેવલ મોક્ષની સાધનામાં રહે એને જ નમસ્કાર કર્યો છે. તે સિવાય બીજાને ત્યાં સ્થાન નથી. પાંચમાંથી એક પણ દીક્ષા વિનાના નથી.
જે પાંચે પરમેષ્ઠિને નમીએ છીએ, પૂજીએ છીએ અને સ્તવીએ છીએ, તે પાંચે દીક્ષિત છે એ તો ખાતરી છે ને ? શ્રી અરિહંતદેવ થયા તે પણ સંયમ લઈને થયા. સિદ્ધ ભગવાન પણ દીક્ષા લઈ કેવલજ્ઞાન પામીને મોક્ષે ગયા. સાધુલિંગ પામ્યા વિના કેવલજ્ઞાન થયા પછી તરત નિર્વાણ પામે. તેવા મહાપુરુષને દ્રવ્ય સંયમ નહિ, પણ ભાવ સંયમ તો તેઓને પણ ખરું જ. શ્રી આચાર્ય ભગવાન પણ સાધુ છે, શ્રી ઉપાધ્યાય ભગવાન પણ સાધુ છે અને મુનિ ભગવાન પણ સાધુ છે. એ બધાય દીક્ષિત જ છે.! ગૃહસ્થપણામાં કોઈને સાધુપણું આવી જાય એનો ઇન્કાર નથી, પણ ગૃહસ્થપણું એ સાધુપણાનું કારણ નથી. સાધુપણું પ્રાપ્ત કરવા માટે ઘરને સાધનરૂપ મનાય ? ઘરમાં રહેનારની મમતા છૂટે તો સાધુપણું આવી જાય એ વાત ખરી, પણ મમતા છૂટવાના સાધન તરીકે ઘરને ન જ, મનાય. આચાર્યદેવ એ શ્રીસંઘમાં નાયક પદે છે. તે પરમતારકો 'પંચાચારનું પાલન કરે અને કરાવે. શ્રી ઉપાધ્યાય, એ આગમના વેદી અને ભણાવનાર. સાધુ પોતે મોક્ષમાર્ગ સાધે અને મોક્ષમાર્ગના સાધકને સહાયક થાય. ઉપાધ્યાય તથા સાધુ પણ આચાર્યની આજ્ઞાને માને. એવા આચાર્ય ગૃહસ્થની આજ્ઞાને માને, એમ ? શ્રી આચાર્યના ગુણોનું વિવરણ અવસરે કરીશું. ટૂંકમાં, આચાર્યના ગુણોથી વિશિષ્ટ આચાર્યદેવની આજ્ઞામાં ઉપાધ્યાય તથા સાધુ રહે. એવા આચાર્યને પોતાની આજ્ઞા માનવાની વાતો ગૃહસ્થ કરે, એ શ્રી સંઘ બહાર ખરા કે નહિ ?
શ્રીસંઘને આધારભૂત આગમ છે? " પાઘડીવાળાનું પદ મોક્ષમાર્ગમાં ઊંચું નથી. દુનિયાની અપેક્ષાએ માનો કે - ટોપીવાળાના પદ કરતાં પાઘડીવાળાનું પદ ઊંચું છે; પણ મુક્તિના માર્ગમાં તેમ