SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શાંકર વેદાન્તમાં અવિદ્યાવિયાર અભાવ ‘તમે કહેલો અર્થ હું જાણતો નથી’ એવી પ્રતીતિનો વિષય છે. વિરોષવસ્તુનું સ્વરૂપતઃ જ્ઞાન હોવું અને સાથે સાથે તે જ વિરોષવસ્તુનું વિશેષપ્રકારક જ્ઞાન ન ન હોવું એમાં કોઈ જ વિરોધ નથી, એટલે વ્યાઘાતદોષને કોઈ અવકારા નથી.૪ આની સામે અદ્વૈતસિદ્ધિકાર નીચે પ્રમાણે ઉત્તર આપે છે. ઉપર્યુક્ત રીતે વ્યાઘાતદોષનું નિરસન કરવું અયોગ્ય છે, કારણ કે જે પુરુષને વિરોષપ્રકારક જ્ઞાન જ અપ્રસિદ્ધ હોય તે જ પુરુષ વિશેષપ્રકારક જ્ઞાનનો અભાવ ગ્રહી શકે નહિ. ‘તમે કહેલો અર્થ હું જાણતો નથી’ એ પ્રતીતિમાં ત્વદુક્તાર્થવિષયકજ્ઞાનનો અભાવ ભાસે છે, એ જ ન્યાયામૃતકારને કહેવું છે. અહીં અભાવાંશમાં જ્ઞાન વિરોષણ છે અને જ્ઞાનાંરામાં ત્વદુક્તાર્થ વિશેષણ છે. જ્ઞાનાંરામાં વિરોષણીભૂત ત્વદુક્તાર્થ જો જ્ઞાત ન હોય તો તે અજ્ઞાત વિશેષણથી વિશેષિત જ્ઞાનનો અભાવ કેવી રીતે ગૃહીત થાય ? તેથી ત્વદુક્તાર્થ ન જાણ્યો હોય તો ત્વદુક્તાર્થથી વિશેષિત જ્ઞાનનો અભાવ કદી ગૃહીત થઈ શકે નહિ. એટલે ‘તમે કહેલો અર્થ હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય વિશેષ પ્રકારકજ્ઞાનનો અભાવ છે એમ ન્યાયામૃતકાર જે કહે છે તે તદ્દન અસંગત છે. વળી, ન્યાયામૃતકારની વાતમાં સ્કૂલ દોષ છે. તે નીચે પ્રમાણે છે. તેણે વિરોષનું સ્વરૂપતઃ જ્ઞાન સ્વીકાર્યું છે અને વિશેષપ્રકારક જ્ઞાન સ્વીકાર્યું નથી, તે બાબતમાં જિજ્ઞાસા થાય છે કે તે વિશેષ શું છે ? (૧) ‘વિશેષ’ પદનો અર્થ શું વ્યક્તિ છે ? (૨) કે અપરા જાતિ છે ? (૩) કે વ્યંજક અસાધારણ ધર્મ છે ? આમાંથી ક્યો વિકલ્પ તે સ્વીકારે છે ? સામાન્યરૂપે જ્ઞાન છે પરંતુ વિશેષરૂપે જ્ઞાન નથી એમ કહેતાં પ્રથમ પક્ષ અનુસારે વ્યક્તિનું જ્ઞાન નથી એમ કહેવું પડે, પરંતુ તે અસંગત છે. સામાન્યરૂપે જ્ઞાન થતાં સામાન્યાશ્રય વ્યક્તિ પણ જ્ઞાત થઈ પડે. વ્યક્તિ જ્ઞાત ન હોય તો સામાન્યરૂપે કોનું જ્ઞાન થાય ? આ જ રીતે બીજો વિકલ્પ પણ અસંગત છે. સામાન્ય, વિરોષ, સમવાય અને અભાવ આ ચાર પદાર્થમાં કોઈ જાતિ નથી. તેઓ નિઃ સામાન્ય તરીકે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તેથી, પ્રદર્શિત ચાર પદાર્થોનું અજ્ઞાન અપ્રસિદ્ધ થઈ પડે. ‘હું સામાન્યને જાણતો નથી’, ‘હું વિરોષને જાણતો નથી’ વગેરે અનુભવોમાં ‘સામાન્યગત અપરા જાતિને હું જાણતો નથી’, ‘વિશેષગત અપરા જાતિને હું જાણતો નથી’ એ રીતનો સ્વીકાર કરવો પડે. સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવમાં અપરા જાતિ છે જ નહિ. તેથી, ‘સામાન્યને હું જાણતો નથી’, ‘વિશેષને હું જાણતો નથી’, ‘સમવાયને હું જાણતો નથી’, ‘અભાવને હું જાણતો નથી’ એ પ્રતીતિઓનો ખુલાસો પ્રદર્શિત રીતે સર્વથા અસંભવ થઈ પડે. આવી જ રીતે ત્રીજા પક્ષને સ્વીકારતાં અર્થાત્ ‘વિશેષ’ પદનો અર્થ વ્યંજક અસાધારણ ધર્મ લેતાં, તે વ્યંજક અસાધારણ ધર્મનું વિશેષત્વ વ્યાપ્યત્વપ્રયુક્ત હોવું જોઈએ. જે જેનો વિશેષ તે તેનો વ્યાપ્ય. ભંજક અસાધારણ ધર્મને વિશેષ કહીએ તો વ્યંજક અસાધારણ ધર્મને વ્યાપ્ય કહેવો જોઈએ. તેથી ‘વિરોષરૂપે હું જાણતો નથી’ એમ કહીએ તો વ્યાપકનિરૂપિત અજ્ઞાન વ્યાખ્યવિષયક થઈ પડે, અર્થાત્ દ્વિનિરૂપિત જ્ઞાનના અભાવનો વિષય ધૂમ થઈ પડે. આવું અનુભવવિરુદ્ધ બોલવું અસંગત છે." વળી, ન્યાયામૃતકારે જે કહ્યું કે ‘ત્વદુક્તઅર્થને હું જાણતો નથી’ એ પ્રતીતિમાં ત્વદુક્ત અર્થવિશેષ સ્વરૂપતઃ જ્ઞાત થયો હોવા છતાં તેનું વિશેષપ્રકારક જ્ઞાન થયું નથી. અને આ વિશેષ પ્રકારક જ્ઞાનનો અભાવ જ ઉક્ત પ્રતીતિનો વિષય છે તે અત્યંત અયોગ્ય છે. વિશેષપ્રકારક જ્ઞાનનો અભાવ પ્રાગભાવ કે અત્યંતાભાવ હોઈ શકે. પરંતુ જે પુરુષને જે વિષયમાં કોઈ પણ દિવસ વિશેષપ્રકારક જ્ઞાન ઉત્પન્ન થતું જ નથી તે જ પુરુષને તે જ વિષયમાં જ્ઞાનનો પ્રાગભાવ સંભવતો નથી જ. ઉદાહરણાર્થ, દક્ષિણાપથવાસીને ઊંટવિષયક જ્ઞાનનો અભાવ છે.
SR No.005850
Book TitleAvidyavichar
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherSanskrit Sanskriti Granthmala
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy