________________
૨૯૧
પાસત્યાદિ લિંગ ધારીનાં લક્ષણ ચારિત્રમાં ઉદ્યમ કરનારા અને સંવિગ્ન એટલે મોક્ષની અભિલાષાવડે વિહાર કરવાના સ્વભાવવાળા એવા સાધુઓનું સર્વ પ્રયત્ન (શક્તિ) વડે વૈયાવચ્ચ કરવું.” • હીલ્સ વિ સુદ્ધપવાસ નાદિય વાયબ્ધ .
जणचित्तग्गहणत्थं, करिति लिंगावसेसे वि ॥३४८॥ અર્થ–“શુદ્ધ પ્રરૂપણા કરનાર અને જ્ઞાન (સિદ્ધાંતના જ્ઞાન) થી અધિક (સંપૂણી એવા હીનનું પણ એટલે શિથિલાચારીનું પણ વૈયાવૃત્ય કરવું અર્થાત્ ક્રિયાહીન છતાં પણ જો જ્ઞાની હોય તો તેનું વૈયાવૃત્ય કરવું ઉચિત છે. વળી જનના (લોકોના) ચિત્તને ગ્રહણ (રંજન) કરવા માટે એટલે કે “આ લોકોને ઘન્ય છે કે તેઓ ગુણવાન છતાં પણ ઉપકાર બુદ્ધિથી નિર્ગુણનું પણ વૈયાવૃત્ય કરે છે. એવી રીતે લોકના ચિત્તને પ્રસન્ન કરવા માટે માત્ર લિંગઘારીનું પણ વૈયાવૃત્ય કરે છે; અર્થાત્ લોકાપવાદનું નિવારણ કરવા માટે જ્ઞાન અને ક્રિયાથી હીન એવા વેષઘારીનું પણ વૈયાવૃત્ય કરવું.”
અહીં સુધી ૨૯૫ મી ગાથા સર્ફ લીવીરવ નો વિસ્તારાર્થ કહ્યો. હવે લિંગઘારીનું સ્વરૂપ કહે છે
दगपाणं पुष्फफलं, अणेसणिज्जं गिहत्थकिच्चाई ।
નયા સેવંતી, નફવેવિડંબા નવરંગરૂ૪. અર્થ“અસંયમીઓ (શિથિલાચારીઓ) સચિત્ત જળનું પાન, જાત્યાદિક પુષ્પો, આગ્રાદિકનાં ફળો, અણેસણીય (આઘાકર્માદિ દોષવાળો) આહારાદિ તથા વ્યાપારાદિ શ્રાવકનાં કાર્યો કરે છે, સંયમને પ્રતિકૂળ આચરણ આચરે છે, તેઓ કેવળ યતિવેષની વિડંબના કરનારા જ છે, પરંતુ અલ્પ પણ પરમાર્થના સાઘક નથી.” * ગોન્નયા વોહી, પવય કમાવા ય વોહિયા
ओसन्नो वि वरं पि हु, पवयणउब्भावणा परमो ॥३५०॥ અર્થ–“તેવા ઉપર કહેલા ભ્રષ્ટ ચારિત્રવાળાની અવસન્નતા અર્થાત્ પરાભવ થાય છે. તથા તેમને અબોધિ એટલે ઘર્મની પ્રાપ્તિનો અભાવ થાય છે, કેમકે પ્રવચનની (શાસનની) ઉદ્ભાવના પ્રભાવના) કરવાથી જ બોધિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે; પ્રવચનની હીલના કરવાથી બોઘિલાભ થતો નથી. પરંતુ પૃથુ ( વિસ્તારવાળી) પ્રવચનની ઉભાવનામાં તત્પર રહેતો એવો અવસશ્નો એટલે શિથિલાચારી પણ શ્રેષ્ઠ જાણવો; અર્થાતું વ્યાખ્યાન વગેરેથી શાસનની પ્રભાવના કરનાર શિથિલાચારી પણ શ્રેષ્ઠ જાણવો.” ૧. ટીકાકાર અહીં દશ ગાથાઓનો અર્થ કહ્યો એમ લખે છે, પરંતુ ખરેખર ગાથા ૫૪ થાય છે.